પાકિસ્તાનના નાગરિકોની 9,280 પૈકી સૌથી વધારે 4,991 શત્રુ સંપત્તિ ઉત્તર પ્રદેશમાં છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં 2,735 અને દિલ્હીમાં 487 શત્રુ સંપત્તિ છે. ચીનના નાગરિકોની 126 પૈકી સૌથી વધી 57 શત્રુ સંપત્તિ મેઘાલયમાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 29 અને આસામમાં સાત શત્રુ સંપત્તિ છે.
2/4
પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનારા લોકો ભારતમાં જે સંપત્તિ મુકી ગયા છે તેને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. નવા શત્રુ સંપત્તિ (સુધારા અને સમર્થન) કાયદા હેઠળ ભાગલા વખતે પાકિસ્તાન અને ચીન જતાં રહેલા લોકોએ ભારતમાં મુકેલી સંપત્તિ તેમના વારસદારો દાવો કરી શકશે નહીં.
3/4
હાલમાં જ યોજાયેલી બેઠકમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે 6,289 શત્રુ સંપત્તિનું સર્વે પૂર્ણ થઈ ગયો છે. બાકીની 2,991 સંપત્તિનું સર્વેક્ષણ પૂર્ણ કરવામા આવશે. રાજનાથસિંહે આગળ કહ્યું કે, બિનવિવાદાસ્પદ સંપત્તિઓનું વહેલામાં વહેલા વેચાણ કરવાનો આદેશ કર્યો છે. સરકારને આ સંપત્તિના વેચાણમાંથી એક લાખ કરોડ રૂપિયાની માતબર રકમ પ્રાપ્ત થશે. પાકિસ્તાનમાં ભારતીયોની આવી મિલકતોનું વેચાણ કરી દેવાયું છે.
4/4
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશમાં આવેલી 9400 જેટલી શત્રુ સંપત્તિની હજારી કરશે. આ શત્રુ સંપત્તિની અંદાજિત કિંમત 1 લાખ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ પ્રકારની સંપત્તિને ઓળખી કાઢવાની કામગીરી શરૂ કરી છે. 49 વર્ષ જૂના શત્રુ સંપત્તિના કાયદામાં સુધારા પછી આ પગલું લેવામાં આવ્યં હોવાનું મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે.