હાલના નિયામો અનુસાર કંપનીમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ કામ કરનારા કર્મચારીઓને જ ગ્રેચ્યુઇટી મળે છે. જો કોઇ કર્મચારી પાંચ વર્ષ પહેલાં કંપની છોડી દે તો તેને સીટીસી પેકેજમાંથી કપાયેલા પૈસા પણ નથી મળતા. એથી કર્મચારીઓને નુકસાન થાય છે.
2/6
મંત્રાલયને પોતાના અભ્યાસમાં એવી જાણ થઇ છે કે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારાઓ વારંવાર નોકરી બદલે છે. આ ઉપરાંત કોન્ટ્રેકટ પર કામ કરનારા કર્મચારીઓને કોન્ટ્રેકટરો એક સ્થળેથી બીજે સ્થળે મોકલી દે છે. આમાં કર્મચારીઓની ગ્રેચ્યુઇટીનું નુકસાન થાય છે.
3/6
આ બેઠકમાં પાંચ વર્ષ પહેલાં નોકરી છોડનારા કર્મચારીઓને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળે અને ગ્રેચ્યુઇટીનો યુનિક નંબર આપી એેને ટ્રાન્સફર કરવા વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થશે. જો આ બેઠકમાં સહમતી સધાઇ તો આ યોજના તરત અમલમાં મૂકવામાં આવશે.
4/6
શ્રમમંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની કોશિશ છે કે ગ્રેચ્યુઇટીનો કાયદો સૌથી વધુ કર્મચારીઓને મળે. આ વિશે સરકાર ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.
5/6
નવી દિલ્હી: સરકાર ગ્રેચ્યુઇટીને મુદ્દે એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા ફેરફાર મુજબ પાંચ વર્ષની અંદર નોકરી છોડનારા કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનું નુકસાન નહીં થાય.
6/6
પ્રોવિડન્ડ ફન્ડની જેમ જ ગ્રેચ્યુઇટી પણ ટ્રાન્સફર થશે. આ માટે સરકાર દરેક કર્મચારીને યુનિક નંબર આપશે. આ હેતુસર શ્રમમંત્રાલય પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટમાં સુધારો કરવા વિચારી રહી છે.