દાતી મહારાજ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં બનેલા પ્રખ્યાત શનિધામ મંદિરના સંસ્થાપક છે. આના પર રેપનો આરોપ લાગ્યો છે. 25 વર્ષની છોકરીએ દાતી મહારાજ પર રેપનો આરોપ લગાવ્યો છે. છોકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે બે વર્ષ પહેલા દાતી મહારાજે તેની સાથે મંદિરમાં જ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. જે છોકરીએ આરોપ લગાવ્યો છે તે માતા-પિતાના મોત બાદ સાત વર્ષની ઉંમરથી દાતી મહારાજની પાસે રહી રહી છે.
3/7
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે આ મામલાની તપાસ કરી રહી છે. દાતી મહારાજ દેશમાંથી ભાગી ના જાય, એટલા માટે લુકઆઉટ સર્ક્યૂલર જાહેર કરવાની પણ તૈયારી કરી રહી છે.
4/7
જ્યારે દાતી મહારાજને પુછવામાં આવ્યું કે તમારી ઉપર સંગીન આરોપ લાગ્યા છે. શું તમે આગોતરા જામીન કે કાયદેસરની મદદ માટે જશો? આના જવાબમાં તેમને કહ્યું, ‘’મારી આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, પણ હું કોશિશ કરીશ.’’
5/7
તેમને વધુમાં કહ્યું કે, ‘’પીડિતા મારી દીકરી છે અને એપ્રિલ 2016 બાદ મારું તેનાથી કે તેના પરિવાર સાથે કોઇ સંપર્ક નથી થયો. પીડિતાએ જે તારીખો વિશે લખ્યું છે, તે તારીખો વિશે હું મારો કાર્યક્રમ બનાવવા લોકોને પુછીશ.’’
6/7
એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં દાતી મહારાજે કહ્યું, ‘’મને સચિન જૈને પીડિતાના નામે બરબાદ કરવાની ધમકી આપી હતી. પીડિતા વર્ષ 2008માં મારા આશ્રમમાં આવી હતી અને મે તેને પહેલા બીસીએ કરાવ્યું પછી જોધપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે મોકલી. એટલું જ નહીં પીડિતા અજમેરમાં મે એમસીએ કરાવવા પણ મોકલી હતી.’’
7/7
નવી દિલ્હીઃ પ્રખ્યાત શનિધામ મંદિરના સંસ્થાપક દાતી મહારાજે પોતાની ઉપર લાગેલા રેપના આરોપ પર કહ્યું કે પીડિતા મારી દીકરી જેવી છે. તેમને કહ્યું કે, હું ભાગ્યો પણ નથી અને ભાગવાનો પણ નથી. પોલીસ તપાસમાં પુરેપુરો સહયોગ આપીશ. દાતી મહારાજે એ પણ કહ્યું કે, હું સોમવાર સુધી પોતાના આશ્રમની દરેક બાળકીઓને વ્યવસ્થિત કરીને પોલીસની પાસે જઇશ.