જમ્મુ અને કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે જણાવ્યું, ‘ઘટનાની જાણકારી મળવા પર પોલીસ અને સુરક્ષા દળ પૂર્વ સરપંચના ઘરે પહોંચી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.’
2/3
જમ્મુ: જમ્મુ કાશ્મીરના શોપિયામાં સોમવારે સાંજે આતંકિઓએ જે પીડીપી કાર્યકર્તા અને પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી દીધી હતી તેના ઘરને ગ્રામજનોએ મંગળવારે આગ ચાપી દીધી છે. આરોપ છે કે આ આતંકવાદીઓના કહેવા પર કરવામાં આવ્યું છે.
3/3
સૂત્રો પ્રમાણે મંગળવારે સવારે અજાણ્યા લોકોએ પૂર્વ સરપંચના ઘરમાં આગ ચાપી દીધી હતી. જણાવી દઈએ કે સોમવારે પરીવાર અને આતંકીઓ વચ્ચે થયેલા અથડામણમાં એક આતંકી શૌકત ફલાહી માર્યો ગયો હતો.તેના પહેલા સોમવારે ત્રણ આતંકીઓએ પૂર્વ સરપંચ મોહમ્મદ રમઝાન શેખની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તે દરમિયાન રમઝાન શેખના પરિવારનું પણ બહાર નીકળી આતંકી સાથે ઘર્ષણ થયું હતું તે દમિયાન એક આંતકી માર્યો ગયો હતો. ત્યારબાદ પોલીસની સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનાએ વિસ્તારને ઘેરી આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધું છે.