શોધખોળ કરો
કેરલમાં આવેલા જળપ્રલય બાદ 500 કરોડની સહાયની PM મોદીની જાહેરાત
1/4

કેરલમાં આવેલા સદીના સૌથી મોટા જળ પ્રલયના પગલે 324 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન કેરાલાની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. પીએમ મોદીએ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કર્યુ હતુ. એ પછી મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વરસાદના કારણે કેરલમાં 20000 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. કેરાલા સરકારે કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયતા માંગી હતી.
2/4

એનડીઆરએફની સાથે સેના, નૌસેના, વાયુસેનાએ પૂરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાનું કાર્ય શરૂ કર્યું છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં પહાડ તુટવાના કારણે ત્યા રહેતા ગામ લોકો સંપર્ક વિહોણા થયા છે.
Published at : 18 Aug 2018 08:32 AM (IST)
View More



















