શોધખોળ કરો
બેંગ્લુરુ: અનંત કુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર, શાહ- અડવાણી- રાજનાથ રહ્યા હાજર
1/4

વર્ષ 2014માં મોદી સરકારમાં તેઓ રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. જૂલાઇ 2016માં તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરતા તેમને સંસદીય કાર્યમંત્રીની પણ જવાબદારી સોંપાઇ હતી. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને રાજનાથ સિંહ સહિતના અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો.
2/4

બેંગલુરુઃ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી રહેલા અનંત કુમારના બેંગલુરુમાં આજે રાષ્ટ્રિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
Published at : 13 Nov 2018 10:16 AM (IST)
Tags :
Ananth KumarView More





















