રેલવે સ્ટેશનો પર જે ખાણી-પીણીની ચીજવસ્તુઓ આપવામાં આવે છે તે માણસોને ખાવા લાયક નથી. ટ્રેનો અને સ્ટેશનો પર પીરસાતું જમવાનું ખાવા લાયક નથી હોતું. ડબ્બાબંધ અને બોટલબંધ ચીજોની એક્સપાયરી ડેટ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં વેચવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટ આપવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે ખાવાને ગંદકીથી બચાવવા માટે કવર રાખવાનું પણ સ્ટાફને દેખાતુ નથી. તેના સિવાય ટ્રેનમાં વેચાતી ચીજ વસ્તુઓના બિલ ન આપવા અને ફૂડ ક્વૉલિટીની ખામીઓને લઇને અનેક ફરિયોદો આવી રહી છે. સુરેશ પ્રભુએ આ બાબતે લાકસભામાં કહ્યું કે, દોષી ઠેકેદારને હટાવી દેવામાં આવ્યો છે. સરકાર જલ્દી નવી કેટરિંગ પોલિસી લાવશે.
2/2
નવી દેલ્લી: રેલવેમાં મળતા જમવાને લઈને હાલમાં જ CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, રેલવેમાં મળતું જમવાનું માણસોના ખાવા લાયક નથી ત્યારે અનેક પ્રશ્ન ઊભા થયા હતા. તે વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં દિલ્લીથી કોલકતા આવતી પૂર્વા એક્યપ્રેસમાં એક યાત્રીના ખાવામાં ગરોળી નીકળી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ યાત્રીએ રેલવે મંત્રી સુરેશ પ્રભુને ટેગ કરી ફોટો ટ્વિટ કર્યો હતો. ત્યારે રેલવેએ 48 કલાકનો નોટિસ આપ્યો હતો. જેના પછી પૂર્વા એક્સપ્રેસના કેટરિંગ કૉન્ટ્રાક્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 2016 માં તેના પર દસ લાખનો દંડ થયો હતો. 2017માં સાડા સાત લાખ રૂપિયા ત્યાર બાદ હવે હટાવી દેવામાં આવ્યા છે.