શોધખોળ કરો
રાહુલ ગાંધીને વિદેશી કહેનાર બસપા નેતાને માયાવતીએ સસ્પેન્ડ કર્યા, કૉંગ્રેસ સાથે સારા સંબંધોના આપ્યા સંકેત
1/3

બસપા મુજબ, બસપા સુપ્રીમો માયાવતી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી લડી શકે છે. ઉત્તર પ્રદેશમાં બિજનૌર અથવા અંબેડકરનગર બેઠકમાંથી કોઈ એક લોકસભા બેઠક તેમની હોઈ શકે છે. બસપા ઈચ્છે છે કે માયાવતી 2019ની ચૂંટણીમાં દેશભરમાં દલિતોના નેતા બનીને ઉભરે અને પીએમની રેસમાં સામેલ થાય. બીએસપીનો દાવો છે કે, કર્ણાટક ચૂંટણી બાદ માયાવતી દમદાર નેતા તરીકે બહાર આવ્યા છે.
2/3

માયાવતીએ જય પ્રકાશના આ નિવેદન પર પ્રેસ કૉંન્ફ્રેંસ કરતા બસપાના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓેને આ પ્રકારના નિવેદનો ન કરવા માટે ચેતાવણી આપી છે. માયાવતીએ કહ્યું, બસપામાં આ પ્રકારના નિવેદનો આપવા બીએસપીના કલ્ચર વિરૂદ્ધ છે. માયાવતીએ કહ્યું જય પ્રકાશના નિવેદન પર પાર્ટીનું કોઈ લેવા દેવા નથી. આ તેમનો અંગત વિચાર છે. માયાવતીએ કહ્યું જય પ્રકાશના નિવેદનની ગંભીરતાને ઘ્યાનમાં રાખી બસપાએ તેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ પરથી તત્કાલ હટાવ્યા છે.
Published at : 17 Jul 2018 05:11 PM (IST)
View More




















