શોધખોળ કરો
બેંકોકમાં મેદાંતા હોસ્પિટલની એયર-એમ્બ્યુલંસ ક્રેશ થતાં પાયલટનું મોત, અન્ય ચાર ઘાયલ
1/4

આ દુર્ઘટના બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ઘાયલોને સેનાના હેલીકોપ્ટરોથી બેંકોકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમને સૂચના મળી છે કે એર એમ્બ્યુલંસના પાયલટ અરૂણાક્ષ નંદીનું મૃત્યુ થયું છે. ડોક્ટર શૈલેંદ્ર અને ડો. કોમલ આઈસીયુમાં છે.
2/4

મેદાંતા હોસ્પિટલના પ્રમુખ નરેશ ત્રેહને કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ એર એમ્બ્યુલંસમાં બેંકોકના એક દર્દીને લેવા માટે મોકલાઈ હતી, જે ફેફસાની બિમારીથી પીડિત હતો. મેદાંતાના ડોક્ટરોની એક ટીમ પહેલા જ બેંકોક પહોંચી ગઈ હતી. હું પણ કદાચ જઈશ. વિદેશ મંત્રાલયે અમારી ઘણી મદદ કરી છે.’
Published at : 07 Mar 2017 09:47 AM (IST)
View More























