શોધખોળ કરો
OBC પંચને બદલે મોદી સરકાર લાવશે નવું પંચ, જાણો ભારતમાં કેવો રહ્યો છે અનામતનો ઇતિહાસ
1/8

૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા.૧૯૫૫માં કાલેલકરપંચે તેનો જે અહેવાલ આપ્યો હતો, તેમાં નીચો સામાજિક દરજ્જો, શિક્ષણમાં પછાતપણું, સરકારી નોકરીઓમાં અપૂરતું પ્રતિનિધિત્વ અને વ્યાપારઉદ્યોગમાં ઓછી ભાગીદારી જેવા ચાર માપદંડોના આધારે ૨૩૯૯ જૂથોને પછાત જાતીઓ તરીકેની ઓળખ કરી હતી. કાલેલકર પંચે આ જાતીઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા સહિતનાં વિવિધ પગલાં સૂચવ્યાં હતાં.
2/8

પરંતુ કાલેલકર પંચનો સરકાર દ્ધારા કોઇ અમલ કરવામાં આવ્યો નહીં. કેન્દ્ર સરકાર આ પંચના અમલનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો હતો. અનેક રાજ્યોએ પોતાને ત્યાં પછાતવર્ગોને અનામત આપવા માટે પંચો રચ્યા હતા. ત્યારબાદ ૨૦મી ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ મોરારજી દેસાઈની જનતાપક્ષની સરકારે બિંદેશ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે અન્ય પછાતવર્ગો માટે બીજું પંચ રચ્યું.
Published at : 23 Mar 2017 12:45 PM (IST)
Tags :
Modi-cabinetView More























