વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ અને સ્ટેશન રોડ પર ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.
સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ, ખેડૂતો થયા ખુશખુશાલ
સતત બીજા દિવસે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે. વલસાડ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે

- વલસાડમાં સતત બીજા દિવસે ભારે વરસાદ, અનેક ગરનાળા ભરાયા.
- છીપવાડ ગરનાળામાં પાણી ભરાતા 40 ગામોને હાલાકી પહોંચી.
- ગુજરાતના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશ થયા.
- નવસારીમાં 4.53 ઇંચ સર્વોચ્ચ વરસાદ, રાજ્યમાં ચોમાસુ સક્રિય.
સતત બીજા દિવસે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા છે. વલસાડ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો..વરસાદના કારણે છીપવાડ, મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરવાળી ગરનાળું બંધ કરાયું છે. જ્યારે છીપવાડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી 40 ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આ તરફ વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, નાના પોન્ડામાં પણ વરસાદી માહોલ છે. ગઈકાલે પણ વલસાડમાં 3.03 ઈંચ, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40 ઈંચ જ્યારે વાપીમાં 2.20 ઈંચ વરસાદ ખાબક્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે.
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વલસાડમાં સતત બીજા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ અને સ્ટેશન રોડ પર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરાવાડી ગરનાળું બંધ કરવું પડ્યું છે, જ્યારે છીપવાડા ગરનાળામાં પાણી ભરાતા આસપાસના 40 ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી, પારડી, કપરાડા, ઉમરગામ અને સંઘપ્રદેશ દમણમાં પણ ભારે વરસાદી માહોલ છે. દમણમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?
રાજ્યના 5 તાલુકાઓમાં ૩ થી સાડા ચાર ઈંચ અને 25 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાની સવારી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી છે. ગીર સોમનાથ અને અમરેલી બાદ આજે સવારથી પોરબંદરમાં સુદામા ચોક, કમલાબાગ અને એરપોર્ટ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા, જેનાથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. ગીર સોમનાથના વેરાવળ અને ઉનામાં પણ સારો વરસાદ થતાં જગતનો તાત આગામી દિવસોમાં હજુ વધુ સારા વરસાદની આશા રાખી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ , જલાલપોરમાં 3.50 ઈંચ, કામરેજ તાલુકામાં 3.46 ઈંચ, સાવરકુંડલામાં 3.11, વલસાડમાં 3.03 ઈંચ, સુરત શહેરમાં 2.80, ધરમપુરમાં 2.76 ઈંચ, પારડીમાં 2.40, અંકલેશ્વરમાં 2.32 ઈંચ, ઓલપાડમાં 2.32, વાપીમાં 2.20, ચીખલીમાં 2.05 ઈંચ, પલસાણા 1.93 ઈંચ, વસોમાં 1.85 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Frequently Asked Questions
વલસાડ જિલ્લામાં વરસાદની વર્તમાન સ્થિતિ શું છે?
વલસાડમાં ભારે વરસાદના કારણે કઈ સમસ્યાઓ સર્જાઈ છે?
ભારે વરસાદના કારણે છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે. મોગરાવાડી ગરનાળું બંધ કરાયું છે, જ્યારે છીપવાડા ગરનાળાના કારણે 40 ગામના લોકોને હાલાકી પડી રહી છે.
ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ છે અને ખેડૂતો પર તેની શું અસર થઈ છે?
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ નવસારીમાં નોંધાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 3.50 ઈંચ અને કામરેજમાં 3.46 ઈંચ વરસાદ પડ્યો છે.





















