શોધખોળ કરો
વિદર્ભમાં 16 હજાર જેટલા ખેડૂતોએ કરી આત્મહત્યા
1/3

મુંબઈઃ જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી વિદર્ભમાં 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 મરાઠવાડામાં 674 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ જાણકારી મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં લેખીતમાં આપી છે.
2/3

પરભણીના ધારાસભ્ય રાહુલ પાટીલ, વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપતા મેહુસલમંત્રી ચંદ્રકાંત પાટીલે વિધાનસભામાં જણાવ્યું કે, વિદર્ભના 6 જિલ્લામાં જાન્યુઆરી 2001થી ઓક્ટોબર 2018 સુધી અલગ અલગ કારણોથી 15,629 ખેડૂતોએ આત્મહત્યા કરી છે જેમાં 7,008 ખેડૂતોની મદદ કરવામાં આવી જ્યારે 8,406 કેસમાં ખેડૂતો મદદ માટે અયોગ્ય ગણાવવામાં આવ્યા છે.
Published at : 24 Nov 2018 10:21 AM (IST)
View More























