શોધખોળ કરો
રાહુલ ગાંધીના ભાજપ-સંઘ પર પ્રહાર, કહ્યું- ગોડ લવર્સ નહીં પરંતુ ગોડ-સે લવર્સ છે

Background
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર આકારા શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલે સાધ્વી પ્રજ્ઞાએ આપેલા વિવાદિત નિવેદન અને ભાજપના અન્ય નેતાઓના નિવેદન પર પણ પલટવાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘આખરે મને ખબર પડી ગઈ છે કે ભાજપ અને આરએસએસ શું છે. તેઓ ગૉડના લવર્સ નથી પરંતુ ગોડ-સે ના લવર્સ છે. ’
16:56 PM (IST) • 17 May 2019
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જે પાર્ટીની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પ્રથમ સાધ્વી પ્રજ્ઞા બાદમાં અનંત હેગડે અને પછી મધ્યપ્રદેશના બીજેપીના પ્રવક્તા અનિલ સૌમિત્રએ નાથુરામ ગોડસે-મહાત્મા ગાંધી વિવાદને લઇને નિવેદન આપતા મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. જેના બાદ અનિલ સૌમિત્રને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
16:53 PM (IST) • 17 May 2019
લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જેના પર વિવાદ પેદા થઇ ગયો હતો. હવે વડાપ્રધાન મોદીએ તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભલે તેમણે આ મુદ્દા પર માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને મનથી ક્યારેય માફ નહી કરી શકું.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















