શોધખોળ કરો
મોદીના મંત્રી રામદાસ અઠાવલે ભારતીય સેનામાં ST, SC અનામતની માંગ કરી
1/3

રામદાસે તમામ નૌજવાન ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની અપીલ કરી છે. અગાઉ રામદાસ અઠાવલે ક્રિકેટમાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિને 25 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. અઠાવલે કાયદેસર દિલ્લીમા એક પત્રકાર પરિસદમાં આ માંગ કરી છે. જો કે, ચેમ્પિયન ટ્રૉફીના ફાઈનલબાદ પાકિસ્તાન સામે હાર બાદ નિરાશ અઠાવલે કહ્યું કે એસી/એસટીને અનામત મળવાથી એક મજબૂત ટીમનું પણ નિર્માણ થશે.
2/3

નવી દિલ્લી: કેન્દ્રીયમંત્રી રામાદાસ અઠાવલે એકવાર ફરી અનામતને લઈને નિવેદન આપ્યું છે. આ વખતે અઠાવલે સેનામાં અનામતની માંગ ઉઠાવી છે. રામદાસ અઠાવલે માંગ કરી છે કે, સેનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અનામત આપવામાં આવે. તેના માટે અઠાવલે કાયદેસર પ્રધાનમંત્રીને અપીલ કરી છે. કેન્દ્રીયમંત્રી અઠાવલે જણાવ્યું કે, સંવિધાન નિર્માતા ડૉ બીઆર આંબેડકરે કહ્યું હતું કે બધાએ દેશ સેવા કરવી જોઈએ.
Published at : 20 Aug 2017 11:28 AM (IST)
Tags :
NDAView More























