શોધખોળ કરો
દલિત સંગઠને PM- રાષ્ટ્રપતિને લોહીથી લખ્યો પત્ર, SC-ST એક્ટને પુન:સ્થાપિત કરવા કરી માંગ
1/3

દેશભરમાં દલિત સંગઠનોએ બીજી એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું. જેને લઈને દેશના અલગ અલગ જગ્યાએ ભારે હિંસા ભડકી હતી અને 12 લોકોના મોત થયા હતા. ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ હિંસામાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
2/3

ઉત્તરપ્રદેશના કાનપૂર જિલ્લાના ભારતીય દલિત પેન્થર પાર્ટીના સભ્યોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લોહી વડે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનજી ભારત સરકાર એસટી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ને સંસદમાં અધ્યાદેશ દ્વારા કાયદો બનાવી પુન:સ્થાપિત કરવામાં આવે.
Published at : 05 Apr 2018 05:57 PM (IST)
View More























