કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બોઈલર ફાટવાના કારણે આ ઘટના બની હતી.
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી.

- ગાંધીનગરના ONGC પ્લાન્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.
- પ્લાન્ટના હિટ ટ્રીટમેન્ટ બોઈલર ફાટવાથી આગ લાગી, કોઈ જાનહાની નથી.
- ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, આગનું કારણ જાણવા તપાસ ચાલુ.
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મામલતદાર દ્વારા મળતી માહિતી મુજબ, પ્લાન્ટના 'હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં બોઈલર ફાટવાના કારણે આ ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. સુરક્ષાના પગલે પ્લાન્ટમાંથી તાત્કાલિક તમામ કર્મચારીઓ અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વાહનવ્યવહાર પર અસર અને તપાસનો ધમધમાટ
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માણસા-કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો પણ પ્લાન્ટની બહાર એકત્ર થઈ ગયા હતા. જો કે, રાહતની વાત એ છે કે, આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી.
ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો
નોંધનિય છે કે, આ આગના બનાવની જાણ થતાં જ ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આગ અંગે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સાચુ કારણ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં ફાયર વિભાગ અને ONGCની ટેકનિકલ ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તથા મશીનરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ફાયર વિભાગની કલાકોની કામગીરી બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બોઈલર કયા કારણોસર ફાટ્યું અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં ફાયર વિભાગ અને ONGCના અધિકારીઓએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી દીધી છે.
Frequently Asked Questions
ગાંધીનગરના ONGC પ્લાન્ટમાં કઈ ઘટના બની હતી?
ONGC પ્લાન્ટમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શું હતું?
મામલતદાર દ્વારા મળતી માહિતી મુજબ, પ્લાન્ટના 'હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજની પણ આશંકા છે.
ONGC પ્લાન્ટની આગમાં કોઈ જાનહાની થઈ હતી?
ના, આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગને કારણે વાહનવ્યવહાર પર શું અસર થઈ હતી?
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માણસા-કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.





















