ડીનર બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, આ એક ઔપચારિક બેઠક હતી. જેમાં દેશના બંધારણને બચાવવા માટે ચર્ચા થઈ હતી. કેન્દ્રમાં હાલ તાનાશાહ સરકાર છે અને અમે તેને હટાવવા માંગીએ છીએ. આજે કેન્દ્રના અનેક સહયોગી પણ તેનાથી ખુશ નથી. અકાલી દળ, શિવસેના, ટીડીપી બધા નારાજ છે. આ બેઠક તો શરૂઆત છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોકાવા માટે વિપક્ષ એકજૂથ થવા માટે રણનીતિ બનાવી રહ્યું છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ સોંપ્યા બાદ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ગઠબંધનને મજબૂત કરવામાં લાગ્યા છે. મંગળવારે તેમણે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું.