શ્રીનગરઃ સરકાર જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ-પથ્થરબાજો માટે ભલે નરમ વલણ દાખવે અને તેમના પ્રતિ હમદર્દી દેખાડે, પણ તે સુરક્ષાદળોને નિશાનો બનાવવાનું ક્યારેય ચૂકતા નથી. બકરી ઇદના તહેવારના પ્રસંગે જ પથ્થરબાજોએ પોતાની કાયરતા દર્શાવી છે, તેમને અનંતનાગમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો, પથ્થરો માર્યા હતા.
2/7
3/7
4/7
5/7
ઉલ્લેખનીય છે કે, જૂલાઇ 2016માં હિઝબૂલ મુઝાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓ ઝડપથી વધી છે.
6/7
પીડીપી-ભાજપાની ગઠબંધન સરકારે પથ્થરબાજો સામે દરિયાદિલી બતાવતા ફેબ્રુઆરી 2018માં લગભગ 10 હજાર પથ્થરબાજોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આમાં મોટાભાગના યુવાનો હતાં જે પથ્થરબાજીની ઘટનામાં પહેલીવાર સામેલ થયા હતા. સરકારને આશા હતી કે યુવાની મુક્તિ બાદ ઘાટીમાં શાંતિ સ્થાપિત થશે, પણ ઘટનાઓ હજુ પણ વધી રહી છે.
7/7
એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્પષ્ટપણ દેખાઇ રહ્યું છે કે, પોલીસ-સુરક્ષાદળોની એક જીપ પર અલગાવવાદીઓ-પથ્થરબાજો પથ્થરમારો કરી રહ્યાં છે સાથે દંડાથી પણ હુમલો કરાઇ રહ્યો છે. હુમલાથી બચવા માટે પોલીસની જીપ ત્યાંથી પાછી જતી રહે છે. બકરી ઇદના તહેવાર પ્રસંગે જ ઘાટીમાં માહોલને ફરી એકવાર બગાડવાની કોશિશ કરાઇ રહી છે.