શોધખોળ કરો
શ્રીનગરમાં BSF કેમ્પ પર હુમલો કરનાર ત્રણેય આતંકી ઠાર, એક BSF અધિકારી શહીદ
1/2

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બીએસએફ કેમ્પ પર આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. જોકે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ન્યૂઝ એજન્સી મુજબ, પોતાને જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા ગણાવનારા વ્યક્તિએ મીડિયાને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.
2/2

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ શ્રીનગર એરપોર્ટની પાસે બીએસએફની 182મી બટાલિયનના કેમ્પ પર હુમલો કર્યો છે. કહેવાય છે કે આ એક આત્મઘાતુ હુમલો છે. જેમાં 3 આતંકી ઠાર થયા છે, જ્યારે BSFના એક અધિકારી શહીદ થયા છે. આતંકીઓ જે બિલ્ડિંગમાં છુપાયા હતા તેને સેનાએ ઘેરીને ઓપરેશન પાર પાડ્યું હતું. બીએસએફ કેમ્પ શ્રીનગર એરપોર્ટની એકદમ નજીક છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે.
Published at : 03 Oct 2017 07:52 AM (IST)
View More























