નિરુપમે એટલું જ નહીં, તેમને ઉંદર ગોટાળા પર પણ સવાલ કર્યો, તેમને કહ્યું કે, શું મંત્રાલયમાં ઉંદર ચા પીવે છે. તેમનો ઇશારો પૂર્વ મંત્રી એકનાથ એડસેના તે નિવેદન પર હતો જેમાં તેમને માત્ર એક અઠવાડિયામાં મંત્રાલયના 319,400 ઉંદરને મારવાનો દાવો કર્યો હતો.
2/7
નિરુપમે કટાક્ષ કરતાં કહ્યું કે, લાગે છે કે સીએમ એને સીએમઓ આટલુ મોટુ બીલ માટે કંઇક વધારે મોંઘી ગોલ્ડન ટીનો ઉપયોગ કરે છે. અફસોસ છે કે, મહારાષ્ટ્રમાં રોજ ખેડૂતોના મોત થઇ રહ્યાં છે પણ સીએમઓ ચા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.
3/7
તેમને કહ્યું કે, ચા પર થયેલો ખર્ચ ચોંકાવનારો છે, સીએમઓમાં રોજની 18,591 કપ ચાની ખપત છે. આ કેવી રીતે સંભવ છે? તેમને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "સીએમ કયા પ્રકારની ચા પીવે છે, કેમકે મે માત્ર ગ્રીન ટી, યલો ટી અને આ પ્રકારના અમૂક જ નામ સાંભળ્યા છે.
4/7
આરટીઆઇ અનુસાર, 2017-18માં સીએમઓમાં 3,34,64,904 રૂપિયાની ચા પીવામાં આવી, જ્યારે આ આંકડો વર્ષ 2015-16 માં 57,99,150 રૂપિયા હતો.
5/7
મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે માહિતી અધિકાર (આરટીઆઇ)નો હવાલો આપતા કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં સીએમઓમાં ચાયની વપરાશ પર ખર્ચમાં ભારે વધારો થયો છે.
6/7
જોકે, બાદમાં પ્રદેશ રાજ્ય સરકારે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેમને મંત્રાલયમાં ઉંદરને મારવા માટે 3,19,400 ઉંદરનાશક દવાઓનો યૂઝ કરવા વિશે કહ્યું હતું.
7/7
મુંબઇઃ ઉંદર ગોટાળા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર પર ચા ગોટાળાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં દરરોજના 18,500 કપ ચાની ખપત છે.