શોધખોળ કરો
શ્રીનગર: CRPFના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ
1/3

આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સેનાએ એક અજાણ્યા યુવકનો મૃતદેહ જપ્ત કર્યો હતો. આ વ્યકિત પાકિસ્તાની ઘુસણખોર હવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 30 વર્ષના એક વ્યક્તિનો મૃતદેહ નૌશેરા સેક્ટરના સેર ગામથી મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મૃતક પાસે પાકિસ્તાની રૂપિયા, એક પોકેટ ડાયરીઅને પાકિસ્તાનની કેટલીક સિગારેટ મળી છે.અધિકારીએ જણાવ્યું કે, નિયંત્રણ રેખા પાર કરતી વખતે કરંટવાળા તારના કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
2/3

પોલીસના જણાવ્યું અનુસાર સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ બાટમાલુ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન આતંકીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થઈ ગયો છે.
Published at : 24 Jul 2018 07:12 PM (IST)
View More























