શોધખોળ કરો
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં, YSRCPના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને સોંપ્યા રાજીનામાં
1/6

આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ ટીડીપીએ માર્ચમાં એનડીએ સાથેનું તેનું ગઠબંધન તોડી દીધું છે. તેણે સરકાર સામે વચન ન નિભાવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ટીડીપીએ 19 માર્ચે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની અરજી લાવવાની નોટિસ પણ આપી હતી. જોકે સંસદમા સતત હોબાળાના કારણે આ વિશે ચર્ચા થઈ શકી નબહતી.
2/6

બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યાર સુધી ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે રાજ્યને વિશેષ દરજ્જો મળવાની માગણી વિશે પ્રદર્શન કર્યા હતા. નીરવ મોદી, બેન્ક કૌભાંડ, એસએસસી પરીક્ષા, સીબીએસઈ પેપર લીક, ફેસબુક ડેટા ચોરી, અવિશ્વાસ પ્રસ્તાવ, કાવેરી જળ વિવાદ વિશે પણ સંસદમાં ખૂબ હોબાળો થયો હતો.
Published at : 06 Apr 2018 01:15 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















