શોધખોળ કરો

Navratri Recipe 2024: નવરાત્રીના વ્રતમાં કોકોનટ બરફી આ રીતે બનાવો, જાણો રેસિપી

3ઓક્ટોબર ગુરૂવારથી શારદિય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ નવેય દિવસ કેટલાક લોકો ઉપવાસ પણ કરે છે. તો ઉપવાસમાં ખાઇ શકાય તેવી કોકોનટ બરફીની રેસિપી જાણીએ

Navratri Recipe  2024:નારિયેળમાંથી બનેલી ખાસ કોકોનટ બરફી એ પરંપરાગત મીઠાઈ છે. તે તહેવારોની સિઝનમાં તેમજ અન્ય કોઈ પ્રસંગમાં પણ બનાવી શકાય છે. તેમાં ખાસ કરીને નારિયેળ, માવા (ખોયા)નો ઉપયોગ કરવામાં આવે છે. તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવતી મીઠાઈઓમાંથી એક છે. જો તમે હજી સુધી તેનો સ્વાદ ચાખ્યો નથી, તો આ તહેવારોની સિઝનમાં એકવાર, તમે તેને ઘરે પણ ટ્રાય કરો. તેની રેસીપી ખૂબ જ સરળ છે. અમે તમને તેની પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તેને સરળતાથી તૈયાર કરી શકો.

કોકોનટ બરફી માટેની સામગ્રી

સૂકું નાળિયેર (છીણેલું) - 1 વાટકી      

માવા (ખોયા) - 1 કપ

ઘી - 1/2 કપ

ખાંડ - 1 કપ

એલચી પાવડર - એક ચપટી

ચાસણી બનાવવા માટે પાણી

કોકોનટ બરફી બનાવવાની રીત

સ્પેશિયલ કોકોનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ખાંડ લો અને તેને પાણીમાં ઉકાળીને ખાંડની ચાસણી બનાવો. હવે આ ચાસણીમાં છીણેલું સૂકું નારિયેળ (કોપરા) નાખીને બરાબર મિક્ષ કરી લો. ગેસને મધ્યમ તાપ પર રાખો. હવે તેમાં ઘી અને ખોવા નાખીને બરાબર મિક્ષ કરી લો.

આ મિશ્રણમાં ગઠ્ઠો ન આવે તે માટે ધ્યાનમાં રાખો કે તેને સતત હલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. જયારે સારી રીતે મિશ્રણ થઇ જાય બાદ

મિશ્રણ બરાબર ભળી જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. પ્લેટને પહેલેથી ઘીથી ગ્રીસ કરેલી રાખો. હવે આ મિશ્રણને પ્લેટમાંથી કાઢી લો અને થોડીવાર માટે છોડી દો. ઉપર થોડું ઘી લગાવો.

હવે તેને સારી રીતે ફેલાવો અને બરફીના આકારમાં કાપી લો. થોડા સમય પછી તમારી બરફી જામી જશે. હવે તેને બહાર કાઢો અને લોકોને સર્વ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget