શોધખોળ કરો

Health Tips: શ્રાવણમાં ભૂલથી પણ આ ચીજનું ન કરવું સેવન, જાણો આયુર્વેદ કેમ કરે છે મનાઇ

Health Tips: દિલ્હીના આયુર્વેદચાર્ય ડૉ. રીના શર્માએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પાચનક્રિયા ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં ભારે અને તેલયુક્ત ખોરાક ટાળવો જોઈએ.

Health Tips:ચોમાસાની ઋતુ આવતાની સાથે જ વરસાદ અને ઠંડા પવનો મનને શાંત કરે છે, પરંતુ આ ઋતુમાં આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદ અનુસાર, શ્રાવણ મહિનામાં કેટલાક ખોરાક ટાળવા જોઈએ, જેમાં કઢી જેવી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદિક નિષ્ણાતો કહે છે કે કઢી ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. ચાલો જાણીએ કે શ્રાવણમાં કઢી કેમ ન ખાવી જોઈએ?

ચોમાસા દરમિયાન આહારનું ધ્યાન રાખવું કેમ મહત્વપૂર્ણ છે?

શ્રાવણમાં માસમાં વર્ષા ઋતુ ચાલતી હોય છે. આ ઋતુમાં  પાચનશક્તિ નબળી પડી જાય છે.  આ ઋતુમાં ભેજને  કારણે, બેક્ટેરિયા અને ચેપનું જોખમ વધી જાય છે. દિલ્હીના આયુર્વેદચાર્ય ડૉ. રીના શર્માએ જણાવ્યું કે, ચોમાસામાં પાચન ધીમું થઈ જાય છે. આવી સ્થિતિમાં, ભારે અને તેલયુક્ત ખોરાક ટાળવો જોઈએ. કઢીમાં દહીં અને ચણાનો લોટ હોય છે, જે આ ઋતુમાં પચવામાં મુશ્કેલ હોય છે.

શ્રાવણમાં કઢી કેમ ન ખાવી?

આયુર્વેદ મુજબ, કઢી દહીં, ચણાનો લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં તે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ તેની પાછળના કારણો.

ચોમાસામાં દહીં કફ વધારે છે

કઢીનો મુખ્ય ઘટક દહીં છે, જેને આયુર્વેદમાં ઠંડક આપતો ખોરાક માનવામાં આવે છે. જોકે, ચોમાસામાં ભેજને કારણે શરીરમાં કફ દોષ વધે છે. દહીં આ કફને વધુ વધારી શકે છે, જે શરદી, ખાંસી અને સાઇનસ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. બેંગ્લોરના આયુર્વેદચાર્ય ડૉ. અનિલ મંગલના જણાવ્યા મુજબ, ચોમાસામાં કઢી જેવા દહીં આધારિત ખોરાક ટાળો, કારણ કે તે પાચન ધીમું કરી શકે છે અને કફ વધારી શકે છે.

ચણાનો લોટ પાચન ધીમું કરે છે

કઢીમાં ચણાનો લોટ વપરાય છે, જે પચવામાં ભારે હોય છે. ચોમાસામાં પાચનતંત્ર પહેલાથી જ નબળું હોય છે અને ચણાનો લોટ તેના પર વધુ દબાણ વધારે છે. આનાથી ગેસ, પેટ ફૂલવું અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચોમાસામાં સૂપ અથવા ખીચડી જેવા હળવા અને ગરમ ખોરાક શ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં, ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ટાળવી જોઈએ.

મસાલા અને તેલ પિત્ત દોષ વધારે છે

કઢીના વઘાર  માટે હિંગ, જીરું, સરસવ જેવા તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, વધુ મસાલા અને તેલ પિત્તા દોષ વધારી શકે છે, જે એસિડિટી, સોજા  અને ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે, શ્રાવણ મહિનામાં હળવા મસાલા અને ઓછા તેલવાળા ખોરાક ખાઓ.

ભેજમાં બેક્ટેરિયાનું જોખમ

ચોમાસામાં ભેજને કારણે, દહીંમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધી શકે છે. જો કઢીને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં ન આવે તો આ સમસ્યા વધી શકે છે. આ બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગ અથવા ચેપનું કારણ બની શકે છે.

પાચનતંત્ર પર વધારાનો ભાર પડે છે

કઢી એક ભારે વાનગી છે કારણ કે તેમાં દહીં, ચણાનો લોટ અને તેલનું મિશ્રણ હોય છે. ચોમાસામાં પાચનતંત્ર મંદ હોય છે અને કઢી ખાવાથી પેટમાં ભારેપણું, ગેસ અથવા ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget