શોધખોળ કરો

Myth Vs Facts: મોબાઇલ ફોન પાસે રાખીને સુવાથી કેન્સર થાય છે? જાણો શું છે હકીકત

Myth Vs Facts: શું ફોન પાસે રાખીને સૂવાથી કેન્સર થાય છે? કેન્સરને લઈને ઘણી વાર આપણે આપણી આસપાસ આવી વાતો સાંભળીએ છીએ. અમે તમને મિથ Vs ફેક્ટ દ્વારા સમગ્ર સત્ય જણાવીશું.

Myth Vs Facts: શું ફોન પાસે રાખીને સૂવાથી કેન્સર થાય છે? કેન્સરને લઈને ઘણી વાર આપણે આપણી આસપાસ આવી વાતો સાંભળીએ છીએ. કેન્સરને લઈને લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ છે. એવા ઘણા પ્રશ્નો છે જેના વિશે તે ઘણીવાર મૂંઝવણમાં રહે છે. એક મોટો સવાલ એ છે કે, ફોનને માથાની નજીક રાખવાથી બ્રેઈન ટ્યુમરની સમસ્યા થાય છે.

મિથ વિ ફેક્ટ્સ એ આવી બાબતો અંગે 'ABP લાઈવ હિન્દી'ની ખાસ રજૂઆત  છે. 'મીથ Vs ફેક્ટ્સ સિરીઝ' તમને ખોટી માન્યતાના  દલદલમાંથી બહાર કાઢીને સત્ય લાવવાનો પ્રયાસ છે. ફોન અને કેન્સર વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. શું તમે તમારો ફોન તમારી નજીક રાખીને સૂઈ જાઓ છો? કેટલાક લોકો રાત્રે સૂતી વખતે પણ તેને પાસે રાખીને જ ઊંઘે છે. શા માટે ડોક્ટરો તમને તમારા મોબાઈલ ફોનને તમારા બેડરૂમથી દૂર રાખવાનું કહે છે. જાણીએ

Myths Vs Facts: શું મોબાઈલ ફોન કેન્સરનું જોખમ વધારે છે?

 Facts: આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણો મોબાઈલ ફોન આપણી જાતનો એક ભાગ હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં તેની સુરક્ષા અંગેના પ્રશ્નોને નજરઅંદાજ કરી શકાય નહીં. એક ચિંતા એ છે કે શું શારીરિક રીતે મોબાઈલ ફોનને તમારી નજીક રાખવાથી, ખાસ કરીને સૂતી વખતે, મગજની ગાંઠનું જોખમ વધે છે? ઈન્ટરનેશનલ બ્રેઈન ટ્યુમર અવેરનેસ ગ્રુપના જણાવ્યા અનુસાર, સાઉથ ફર્સ્ટે આ અંગે નિષ્ણાતો સાથે વાત કરી હતી.

 ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે, મોબાઈલ ફોનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે અનેક સ્વાસ્થ્ય સંબંધી જોખમો વધી જાય છે. જ્યારે કેટલાક સંશોધનોએ ફોનના ઉપયોગ અને મગજની ગાંઠ વચ્ચે સંભવિત સંબંધ સૂચવ્યો છે.

 એપોલો હોસ્પિટલ, હૈદરાબાદના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમાર કહે છે, 'અત્યાર સુધી એવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે, સૂતી વખતે કાન કે માથા પાસે મોબાઈલ ફોન રાખવાથી બ્રેઈન ટ્યુમર થાય છે.

 ડોક્ટર કુમાર સમજાવે છે કે, મોબાઈલ ફોન ખાસ પ્રકારના રેડિયો ફ્રીક્વન્સી (RF) કિરણો બહાર કાઢે છે. જે નોન-આયનાઇઝિંગ રેડિયેશનનો એક પ્રકાર છે. એક્સ-રેના આયનાઇઝિંગ રેડિયેશનથી વિપરીત, જે ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે અને સંભવિત રીતે કેન્સરનું કારણ બની શકે છે. એવા કોઈ પુરાવા નથી કે બિન-આયનાઇઝિંગ રેડિયેશન ગાંઠોનું કારણ બને છે. મેનિન્જીયોમા જેવી સૌમ્ય ગાંઠો અને ગ્લિઓમા જેવી કેન્સરયુક્ત ગાંઠો બંને જોવા મળી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ માટે કોઈ પુરાવા નથી. કેટલાક અભ્યાસોમાં કેન્સરના જોખમમાં થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ તેના માટે કોઈ મજબૂત પુરાવા નથી.

 સંશોધકોએ મોબાઇલ ફોનના ઉપયોગ અને મગજની ગાંઠો વચ્ચેના સંબંધની તપાસ કરવા માટે ઘણા વ્યાપક અભ્યાસ હાથ ધર્યા છે. જેમાં એવો કોઈ નક્કર પુરાવો નથી  મળ્યા કે  જે સૂચવે છે કે, તમારો સેલ ફોન હાથની નજીક રાખવાથી અથવા તમે સૂતી વખતે પણ તેને તમારી નજીક રાખવાથી મગજના કેન્સરનું જોખમ વધે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget