શોધખોળ કરો

Weight Loss Tips: ઇન્સ્ટન્ટ એનર્જી સાથે વેઇટ લોસમાં પણ કારગર છે આ ડ્રિન્ક, જાણો રેસિપી

જો આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો આપની દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

Weight Loss Tips: જો  આપ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો  આપની  દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. જાણો કેવી રીતે તેનાથી તમારું વજન ઘટે છે.

વજન ઘટાડવા માટે લોકો કસરત, યોગ અને જિમની સાથે ઘણી રીતો અપનાવે છે અને ઘણા પૈસા પણ ખર્ચે છે. આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે પોતાના ડાયટમાં ફેરફાર પણ કરે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી. જો આપ પણ  અનેક ઉપાયો કર્યા પછી પણ વજન ઘટાડતા નથી, તો એક કપ હૂંફાળું પાણી અને મધ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિતપણે સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને  તેનું સેવન કરવું જોઈએ. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણધર્મો તેમજ એન્ટિ-એલર્જિક ગુણો હોય છે અને આ બધા ગુણધર્મો આપણા સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જાદુઈ માનવામાં આવે છે. આવો અમે તમને આ ખાસ પાણીના ફાયદા વિશે જણાવીએ.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો, તો તમારી દિનચર્યામાં હૂંફાળું પાણી અને મધ સામેલ કરો. મધનું પાણી પાચન, કબજિયાત, ધીમી ચયાપચય અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરે છે અને આ બધા વજન વધવાના મુખ્ય કારણો છે. મધનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને વધારાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફેટ  બર્ન કરવાની પાણીની ક્ષમતા વધે છે.

મધનું પાણી એનર્જી વધારે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મધનું જાદુઈ પાણી એનર્જી વધારવાનું પણ કામ કરે છે. જો તમે થાક અનુભવો છો, તો કોઈપણ મીઠા પીણાને બદલે, તમે મધના પાણીનું સેવન કરી શકો છો. તેના સેવનથી તમારી એનર્જી તો વધશે જ સાથે સાથે તમારું હાઇડ્રેશન લેવલ પણ વધશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૂંફાળા પાણીમાં એક ચમચી મધ વજન ઘટાડવામાં મદદ કરે છે અને એનર્જી વધારવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. વાસ્તવમાં મધમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે વિટામિન અને મિનરલ્સ હાજર હોય છે. તેથી, દરરોજ મધના પાણીનું સેવન કરીને, તમે એવા રોગોથી બચી શકો છો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઇ છે.

ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

મધના પાણીનું સેવન કરવાથી ગળામાં દુખાવો અને ઉધરસ પણ દૂર થાય છે. મધ અને ગરમ પાણી વ્યક્તિગત રીતે ગળાના દુખાવાને દૂર કરવા માટે જાણીતું છે અને જો બંનેને એકસાથે પીવામાં આવે તો અસર ક્યારેક બમણી થઈ જાય છે. તેથી, ગળાના દુખાવા અને ઉધરસથી છુટકારો મેળવવા માટે, મધ સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget