શોધખોળ કરો

Heart Attack: હાઈ બીપી, કોલેસ્ટ્રોલ કે પછી તણાવ... કઈ બાબત હૃદયરોગના હુમલાનું સૌથી વધુ જોખમ ઊભું કરે છે?

બદલાતી જીવનશૈલી અને ખોરાકની આદતોને કારણે હૃદયરોગ વધી રહ્યા છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આમાં હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકથી ઘણા મૃત્યુ પણ થઈ રહ્યા છે.

Heart Attack Cause: WHO મુજબ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે. દર વર્ષે લગભગ 1.80 કરોડ લોકો હૃદયરોગના હુમલા કે સ્ટ્રોકને કારણે જીવ ગુમાવે છે. આની પાછળ એક નહીં પણ ઘણા કારણો છે. જેમાં હાઈ બીપી (લોહીનું દબાણ), હાઈ કોલેસ્ટ્રોલ અને તણાવ મુખ્ય કારણો છે. તો શું તમે જાણો છો કે આમાંથી કયું પરિબળ હૃદયરોગના હુમલાનું જોખમ સૌથી વધુ વધારે છે? જો નહીં, તો ચાલો જાણીએ...

હાઈ બીપી

હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગના હુમલાનું એક મુખ્ય કારણ છે. જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે, ત્યારે હૃદયને લોહી પમ્પ કરવામાં વધુ મહેનત કરવી પડે છે, જેનાથી હૃદયની સ્નાયુઓ પર દબાણ વધી જાય છે. આનાથી ધમનીઓમાં તિરાડો પડી શકે છે અને રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે, જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે.

કોલેસ્ટ્રોલ

હૃદયરોગના હુમલા પાછળના સૌથી મોટા કારણોમાંથી એક હાઈ કોલેસ્ટ્રોલ છે. જ્યાં સુધી કોલેસ્ટ્રોલ જોખમકારક સ્તરે નથી પહોંચતું, ત્યાં સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં જમા થઈને તેમને સાંકડી કરી દે છે, જેનાથી હૃદય સુધી લોહીનો પુરવઠો ઘટી જાય છે. આનાથી હૃદયને ઓક્સિજન અને પોષક તત્ત્વોની ખેંચ થઈ શકે છે, જે હૃદયરોગના હુમલાનું જોખમ વધારી દે છે.

તણાવ

તણાવ પણ હૃદયરોગના હુમલાના જોખમને વધારે છે. જ્યારે તણાવ થાય છે ત્યારે શરીરમાં એડ્રેનાલીન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સ્તર વધી જાય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધારે છે. આનાથી હૃદય પર દબાણ વધી જાય છે અને હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે.

ત્રણેય કારણોમાં હૃદયરોગના હુમલા માટે સૌથી વધુ જોખમકારક કયું?

હૃદયરોગ નિષ્ણાતો અનુસાર, આ ત્રણ કારણોમાં હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગના હુમલાના જોખમને સૌથી વધુ વધારે છે. બીપી હાઈ થવાથી ધમનીઓમાં તિરાડો પડી શકે છે અને રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે, જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે.

જોકે, હાઈ કોલેસ્ટ્રોલ પણ જોખમકારક હોય છે, કારણ કે તેની જાણકારી મોડી મળે છે અને ઘણા કિસ્સાઓમાં તો જ્યાં સુધી હૃદયરોગનો હુમલો નથી આવતો, ત્યાં સુધી તેની જાણ પણ થતી નથી. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ત્રણેય કારણોને નિયંત્રણમાં રાખવા હૃદયરોગના હુમલાના જોખમને ઘટાડવા માટે જરૂરી છે.

Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચોઃ

સવારે કિસમિસ અને દહીં એકસાથે ખાવાના 5 ફાયદા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાતHarsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
Embed widget