શોધખોળ કરો

ડાયાબિટિસના દર્દીઓએ સુગર ફ્રી બિસ્કિટ ખાવા કે નહિ, જાણો એકસ્પર્ટનો મત

Health Tips:ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર ખચકાટ વિના સુગર ફ્રી બિસ્કિટ ખાય છે, તેઓ વિચારે છે કે, તેમાં ખાંડ નથી, પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. જાણીએ સુગર ફ્રી બિસ્ટકના નુકસાન

Health Tips:આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય છતાં ગંભીર રોગ બની રહ્યો છે. ડાયાબિટીસનું નિદાન થતાં જ, તેમને તરત જ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગી જાય છે. પહેલા ખાંડ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારબાદ મીઠાઈઓ, બિસ્કિટ, નાસ્તા, બટાકા, રિફાઇન્ડ લોટ અને ઘઉંનો લોટ પણ આવે છે. આનાથી સુગરના પેશન્ટ ઘણી વખત મૂંઝવણ અનુભવે છે કે, તેઓ શું ખાઈ શકે છે અને શું નહીં. આ સ્થિતિનો લાભ લઈને, બજારમાં સુગર ફ્રી પ્રોડક્ટસની ભરમાર જોવા મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી આ ઉત્પાદનોનું સેવન કરે છે, તેઓ વિચારે છે કે જો તેમાં ખાંડ ન હોય, તો તેઓ તેમના બ્લડ સુગરનું સ્તર કેવી રીતે વધારી શકે? જોકે, ડોકટરો કહે છે કે, સુગર ફ્રી શબ્દ ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરે છે. લોકો ઘણીવાર સુગર ફ્રી બિસ્કિટ ખાવાનું શરૂ કરે છે, તેમને સંપૂર્ણપણે સ્વસ્થ માનીને, પરંતુ સત્ય અલગ છે. તો, ચાલો જોઈએ કે, શું સુગર ફ્રી બિસ્કિટ પણ બ્લડ સુગરને વધારવાનું કારણ બની શકે છે.

શું સુગર ફ્રી બિસ્ટિકથી બ્લડ સુગર વધી શકે છે?

મોટાભાગના સુગર ફ્રી બિસ્કિટ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે. ભલે તેમાં સફેદ ખાંડ હોતી નથી પરંતુ રિફાઇન્ડ લોટમાં સુગર હોય જ છે. તેમાં રિફાઇન્ડ તેલ અને ટ્રાન્સ ફેટ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા નથી. રિફાઇન્ડ લોટ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરમાં અચાનક વધારો થાય છે, જે બ્લડ સુગરમાં વધારો કરી શકે છે. આ જ કારણ છે કે દરરોજ અને મોટી માત્રામાં સુગર ફ્રી બિસ્કિટ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે. જેમને ડાયાબિટીસ નથી તેમને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.

કેટલી માત્રામાં ખાવા જોઇએ સુગર ફ્રી બિસ્કિટ

જો તમે સુગર ફ્રી બિસ્કિટ ખાઓ છો, તો એ સમજવું મહત્વપૂર્ણ છે કે, તેનું એક બિસ્કિટથી વધુ સેવન ન કરવું જોઇએ. એકથી વધુ બિસ્કિટનું દિવસભરમાં સેવન નુકસાનકારક છે. તે માત્ર બ્લડ સુગર જ નથી વધારતું પરંતુ નોન ડાયાબેટિકને મેદસ્વીતા તરફ દોરી જાય છે.

બિસ્કિટ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

બ્લડ સુગર ફ્રી બિસ્કિટ ખરીદતી વખતે, લેબલ વાંચવાનું ભૂલશો નહીં. તપાસો કે બિસ્કિટ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે કે આખા ઘઉંમાંથી. તેમાં સારી ફાઇબર સામગ્રી હોવી જોઈએ અને માલ્ટોડેક્સ્ટ્રિન જેવા ઘટકો ટાળવા જોઈએ, જે બ્લડ સુગર પણ વધારી શકે છે. ઉપરાંત, વપરાયેલ કૃત્રિમ સ્વીટનરનો પ્રકાર પણ તપાસો. જો લેબલ સ્પષ્ટ ન હોય અથવા તેમાં વધુ પડતા રસાયણો હોય, તો આવા બિસ્કિટની ખરીદી ન કરવી જ ઉત્તમ છે.

જો તમને ચા સાથે કંઈક ખાવાની આદત છે તો બિસ્કિટને બદલે સ્વસ્થ વિકલ્પો પસંદ કરો. જેમ કે શેકેલા મખાના, મગફળી, કાજુ અથવા બદામ (મર્યાદિત માત્રામાં), અળસી ચિયા સીડ્સ, કોળાના બીજ અને ઓટ ઉત્પાદનો. વધુમાં, જુવાર, બાજરી અને રાગી જેવા આખા અનાજમાંથી બનાવેલા ઉત્પાદનો ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget