શોધખોળ કરો

શું તમને પણ દિવસમાં આવે છે ઊંઘ? તો આ ગંભીર બીમારીનો છે સંકેત

જેમાં વ્યક્તિની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે

ઘણા લોકો દિવસે ઊંઘ આવવાની ફરિયાદ કરે છે. થાક હોય, સ્ટ્રેસ હોય કે ખરાબ રૂટીન હોય અનેક કારણોસર દિવસ દરમિયાન ઊંઘ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ડિમેન્શિયા (Early Signs of Dementia) જેવા ગંભીર રોગનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે? જી હાં, તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

ડિમેન્શિયા એ એક ડિસઓર્ડર છે. જેમાં વ્યક્તિની વિચારવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. મગજના કોષોને નુકસાન થવાને કારણે આવું થાય છે. અલ્ઝાઈમર રોગ એ ડિમેન્શિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે.

ડિમેન્શિયાના લક્ષણો

દિવસે ઊંઘ આવવી અને ડિમેન્શિયા વચ્ચે શું સંબંધ છે?

જર્નલ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલ એક તાજેતરના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દિવસની વધુ પડતી ઊંઘ એ ડિમેન્શિયાના સંભવિત પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. દિવસ દરમિયાન ઊંઘ આવવી, કામમાં રસ ન લાગવો, કોઈપણ કામ પ્રત્યે ઉત્સુકતાનો અભાવ, આવા તમામ લક્ષણો ડિમેન્શિયાના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. તેને મોટર કોગ્નિટિવ રિસ્ક (MCR) કહેવાય છે. તેની પ્રારંભિક તપાસ ડિમેન્શિયાને રોકવા અથવા અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો કે, આ એકલા ડિમેન્શિયાનું નિદાન નથી. આ સમસ્યા માટે અન્ય ઘણા પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે.

શું છે ડિમેન્શિયાના સંકેતો ?

અન્ય લક્ષણો સાથે સંબંધ - જો દિવસની ઊંઘની સાથે તમે અન્ય લક્ષણો જેવા કે નબળી યાદશક્તિ, બોલવામાં મુશ્કેલી, નિર્ણય લેવામાં મુશ્કેલી અથવા વ્યક્તિત્વમાં ફેરફાર જોશો તો તે ડિમેન્શિયાના સંકેત હોઈ શકે છે.

ધીમે-ધીમે વધતી જતી સમસ્યા- જો દિવસ દરમિયાન ઊંઘ આવવાની સમસ્યા ધીમે ધીમે વધી રહી હોય અને અન્ય રોજિંદા કામકાજ પ્રભાવિત થઈ રહ્યા હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે.

અન્ય કારણો શોધવા - દિવસ દરમિયાન ઊંઘ આવવાની સમસ્યાના અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે ઉંઘની ઉણપ, ડિપ્રેશન, થાક, દવાઓની આડઅસર વગેરે. આ કારણો પર પણ ધ્યાન આપવાનો પ્રયાસ કરો.

જો તમને MCR જેવી સમસ્યાના લક્ષણો દેખાય તો શું કરવું?

ડૉક્ટરનો સંપર્ક કરો- જો તમને દિવસ દરમિયાન વધુ ઊંઘ આવતી હોય અને ડિમેન્શિયાના અન્ય લક્ષણો પણ દેખાતા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

સંપૂર્ણ તપાસ કરાવો- ડૉક્ટર તમારા લક્ષણો અને તબીબી ઇતિહાસના આધારે કેટલાક ટેસ્ટ કરી શકે છે.

સ્વસ્થ જીવનશૈલી અપનાવો- તમે નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લઈને તમારા મનને સ્વસ્થ રાખી શકો છો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ - સ્ટ્રેસ ડિમેન્શિયાનું જોખમ વધારી શકે છે. તેથી સ્ટ્રેસ મેનેજમેન્ટન તકનીકોનો અભ્યાસ કરો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget