શોધખોળ કરો

Best Food For women: એન્ટી એજિંગ ફૂડ છે, સોયાબીન, મહિલાઓ માટે આ કારણે છે ફાયદાકારક

 મહિલાઓએ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. ડાયટમાં માં પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સોયામાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે સોયા મિલ્ક, ટોફુ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Best Food For women:સોયાબીન એ સૌથી પૌષ્ટિક કઠોળમાંથી એક છે.  પ્રોટીન, ખનિજો અને વિટામિન્સનો સંપૂર્ણ સ્ત્રોત છે સોયાબીન, સોયા એ શાકાહારીઓ માટે  શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના ઉચ્ચ પોષક તત્ત્વોને કારણે, સોયા ટૂંકા સમયમાં વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયું. સોયા લોટ, સોયા પ્રોટીન, ટોફુ, સોયા મિલ્ક, સોયા સોસ અને સોયાબીન તેલ સહિતના વિવિધ સ્વરૂપોમાં તેનો ઉપયોગ કરી શકાય છે.સોયાબીન પુરૂષો કરતાં સ્ત્રીઓ માટે વધુ ફાયદાકારક છે.

એક અભ્યાસ દર્શાવે છે કે, સોયા, પ્રોટીન અને આઇસોફ્લેવોન્સથી ભરપૂર, સ્ત્રીઓમાં નબળા હાડકાં અથવા ઑસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સોયાબીનમાંથી બનેલા ઉત્પાદનોમાં આઇસોફ્લેવોન્સ નામનું રસાયણ હોય છે, જે એસ્ટ્રોજન હોર્મોન જેવું જ હોય ​​છે, જેના કારણે મહિલાઓ ઓસ્ટિયોપોરોસિસથી બચી શકે છે.

સોયાબીન

 મહિલાઓએ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. ડાયટમાં માં પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સોયામાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે સોયા મિલ્ક, ટોફુ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટામેટાં

ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે અને વૃદ્ધત્વની અસર સ્કિન પર ઓછી દેખાય છે. . ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે, જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમાં ભરપૂર માત્રામાં  એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

બેરીઝ

બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરીમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. બેરીઝ વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં એન્ટી એજિંગ તત્વ  તત્વો પણ   છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

મિલ્ક

સ્ત્રીઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ પુરુષો કરતાં ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના આહારમાં ઓછી ચરબીવાળા દૂધનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ દૂધ દ્વારા પૂરી કરી શકાય છે. વિટામિન ડી સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. ડાયાબિટીસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને સ્તન અને અંડાશયની ગાંઠોનું જોખમ પણ ઓછું થાય છે.

દહીં

મહિલાઓએ દહીંનો ખોરાકમાં ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, દહીં ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય દહીં ખાવાથી અલ્સર અને વજાઇનલ ઇન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે. હાડકાંને મજબૂત કરવા માટે દહીં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget