![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Curd Benefits: દહીંમાં ખાંડ કે મીઠું...! કેવું દહી ખાવું વધુ ફાયદાકારક અને શા માટે? જાણો આયુર્વેદનો જવાબ
કેટલાક લોકો દહીંમાં ખાંડ ભેળવીને ખાય છે તો કેટલાક લોકો મીઠું ભેળવીને ખાય છે. હવે સવાલ એ થાય છે કે દહીંમાં મીઠું નાખવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે કે ખાંડ? આવો જાણીએ...
![Curd Benefits: દહીંમાં ખાંડ કે મીઠું...! કેવું દહી ખાવું વધુ ફાયદાકારક અને શા માટે? જાણો આયુર્વેદનો જવાબ Sugar or salt in curd...! Which combination is more beneficial and why? Know the answer of Ayurveda Curd Benefits: દહીંમાં ખાંડ કે મીઠું...! કેવું દહી ખાવું વધુ ફાયદાકારક અને શા માટે? જાણો આયુર્વેદનો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/24/2135b32eb12714489ce24ab2a0191f671682319488218723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayurveda tips: ભારતમાં દહીં પ્રેમીઓની કોઈ કમી નથી. નાસ્તો હોય કે રાત્રિભોજન, લોકો દર કલાકે આ સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેને પોતાના ભોજન સાથે તેને ખાય છે તો કેટલાક લોકો તેને પરાઠા સાથે ખાય છે. દહીં ખાવા માટે અન્ય કોઈ ખાદ્ય પદાર્થની જરૂર નથી. જો કે લોકો મોંનો સ્વાદ વધારવા માટે તેને અલગ-અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાય છે. કેટલાક લોકો દહીંમાં ખાંડ ભેળવીને ખાય છે તો કેટલાક લોકો મીઠું ભેળવીને ખાય છે. હવે સવાલ એ થાય છે કે દહીંમાં મીઠું નાખવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે કે ખાંડ? આવો જાણીએ શું છે આનો જવાબ...
દહીંમાં મીઠું ખાવું જોઈએ?
આયુર્વેદ અનુસાર દહીં એસિડિક હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં કફ અને પિત્ત વધે છે. જો તમે દહીંમાં ઘણું મીઠું નાખો છો, તો તેનાથી પિત્ત અને કફ વધી શકે છે. મીઠું એન્ટી બેક્ટેરિયલ છે. આ જ કારણ છે કે તે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે દહીંમાં મીઠું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે. આ સિવાય દહીંમાં મીઠું ખાવાથી ડિમેન્શિયા, હાઈપરટેન્શન, સ્ટ્રોક અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.
દહીંમાં મીઠું કોણે નાખવું?
જો કોઈને દહીંમાં રહેલા વિટામિન સીને કારણે એસિડિટીની સમસ્યા હોય તો તે દહીંમાં થોડી માત્રામાં મીઠું ઉમેરી શકે છે. પણ વધારે મિક્સ ન કરો. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ પણ દહીંમાં ચપટી મીઠું ઉમેરી શકે છે.
શું દહીંમાં ખાંડ ઉમેરીને ખાવી જોઈએ?
આયુર્વેદ અનુસાર દહીંમાં ખાંડ ઉમેરવાથી મગજમાં ગ્લુકોઝનો પુરવઠો વધે છે, અને તે ઉપરાંત, તે ઊર્જા સ્તરને વધારવામાં અને દિવસભર હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. દહીં અને ખાંડનું મિશ્રણ પેટ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તે પિત્ત દોષ ઘટાડવાનું કામ કરે છે. પાચન સંબંધી સમસ્યાઓની સારવાર કરે છે. આયુર્વેદ દહીં, ખાંડ, ઘી, મધ અને મગની દાળ સાથે ભેળવીને ખાવાની ભલામણ કરે છે. દહીંમાં ખાંડ અને મધ નાખીને ખાવાથી પિત્ત, કફ અને વાત નિયંત્રણમાં રહે છે.
કોણે દહીંમાં ખાંડ ન ઉમેરવી જોઈએ?
જે લોકો વધતા વજનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, એવા લોકોએ દહીંમાં ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી વજન વધુ વધી શકે છે. હૃદયના દર્દીઓ અને ડાયાબિટીસથી પીડિત લોકોએ પણ દહીંમાં ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)