શોધખોળ કરો

ચા અને કોફીના શોખીનો થઇ જાવ સાવધાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે. ICMR દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) સાથેની ભાગીદારીમાં બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે ચા અને કોફી વધુ પડતી પીવાનું ટાળવું જોઇએ કારણ કે તેમાં કેફીન હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને સાઇકોલોજિકલ ડિપેન્ડેસી તરફ દોરી શકે છે. આ ઉપરાંત સંસ્થાએ પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવાની પણ સલાહ આપી છે.

ચા અને કોફીમાં કેફીન હોય છે

તેમાં કહેવામાં આવ્યું છે કે 150 મિલીલીટર કપ ઉકાળેલી કોફીમાં 80-120 મિલિગ્રામ કેફીન હોય છે, જ્યારે ઇન્સ્ટન્ટ કોફીમાં 50-65 મિલિગ્રામ અને ચામાં 30-65 મિલિગ્રામ હોય છે. ICMRએ કહ્યું છે કે 300 મિલિગ્રામથી વધુ કેફીન બિલકુલ ન લેવું જોઈએ.

ICMR એ પણ સલાહ આપી છે કે ભોજન પહેલાં ઓછામાં ઓછા એક કલાક અગાઉ અને બાદમાં આ પીણાં પીવા જોઇએ નહીં કારણ કે તેમાં ટેનિન હોય છે જે શરીરમાં આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ટેનીન પેટમાં આયર્ન સાથે ચોંટી જાય છે, જેનાથી શરીર માટે આયર્નનું યોગ્ય રીતે શોષણ કરવું મુશ્કેલ બને છે. તેનાથી આયર્નની ઉણપ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા કોફીના સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

વધુ પડતી કેફીન નુકસાન પહોંચાડી શકે છે

જો કે ગાઇડલાઇનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દૂધ વગરની ચા પીવાથી રક્ત પરિભ્રમણને સુધારવા અને કોરોનરી આર્ટરી ડિસીઝ અને પેટના કેન્સર જેવા રોગોના જોખમને ઘટાડવા જેવા ઘણા ફાયદા છે, તેમ છતાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. માર્ગદર્શિકામાં ICMR એ તેલ, ખાંડ અને મીઠાના સેવનને મર્યાદિત કરવાની ભલામણ કરી છે અને તેમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન માંસ અને સીફૂડને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ દિશાનિર્દેશો સાથે સહમત થતા સીકે બિરલા હોસ્પિટલ, દિલ્હી ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના સલાહકાર ડૉ. વિકાસ જિંદાલે કહ્યું કે જમ્યા પહેલા કે પછી ચા અથવા કોફી પીવાથી શરીર માટે આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનિજોનું શોષણ મુશ્કેલ બને છે શરીરમાં આ ખનિજોની ઉણપ થઇ શકે છે. ડો. જિંદાલે જણાવ્યું હતું કે, આયર્નના શોષણ ઉપરાંત ખોરાક સાથે પીણાં પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે જે પાચન માટે જરૂરી છે. ડો. જિન્દાલે જણાવ્યું હતું કે આ ખોરાક અને પોષક તત્ત્વોના શોષણને અસર કરી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો
સમય નથી? તો હવે અઠવાડિયામાં માત્ર 1 દિવસની કસરતથી પણ ઘટાડી શકાશે વજન, નવા રિસર્ચમાં ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
Embed widget