શોધખોળ કરો

ચા અને કોફીના શોખીનો થઇ જાવ સાવધાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે. ICMR દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) સાથેની ભાગીદારીમાં બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે ચા અને કોફી વધુ પડતી પીવાનું ટાળવું જોઇએ કારણ કે તેમાં કેફીન હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને સાઇકોલોજિકલ ડિપેન્ડેસી તરફ દોરી શકે છે. આ ઉપરાંત સંસ્થાએ પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવાની પણ સલાહ આપી છે.

ચા અને કોફીમાં કેફીન હોય છે

તેમાં કહેવામાં આવ્યું છે કે 150 મિલીલીટર કપ ઉકાળેલી કોફીમાં 80-120 મિલિગ્રામ કેફીન હોય છે, જ્યારે ઇન્સ્ટન્ટ કોફીમાં 50-65 મિલિગ્રામ અને ચામાં 30-65 મિલિગ્રામ હોય છે. ICMRએ કહ્યું છે કે 300 મિલિગ્રામથી વધુ કેફીન બિલકુલ ન લેવું જોઈએ.

ICMR એ પણ સલાહ આપી છે કે ભોજન પહેલાં ઓછામાં ઓછા એક કલાક અગાઉ અને બાદમાં આ પીણાં પીવા જોઇએ નહીં કારણ કે તેમાં ટેનિન હોય છે જે શરીરમાં આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ટેનીન પેટમાં આયર્ન સાથે ચોંટી જાય છે, જેનાથી શરીર માટે આયર્નનું યોગ્ય રીતે શોષણ કરવું મુશ્કેલ બને છે. તેનાથી આયર્નની ઉણપ અને એનિમિયા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા કોફીના સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

વધુ પડતી કેફીન નુકસાન પહોંચાડી શકે છે

જો કે ગાઇડલાઇનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દૂધ વગરની ચા પીવાથી રક્ત પરિભ્રમણને સુધારવા અને કોરોનરી આર્ટરી ડિસીઝ અને પેટના કેન્સર જેવા રોગોના જોખમને ઘટાડવા જેવા ઘણા ફાયદા છે, તેમ છતાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. માર્ગદર્શિકામાં ICMR એ તેલ, ખાંડ અને મીઠાના સેવનને મર્યાદિત કરવાની ભલામણ કરી છે અને તેમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન માંસ અને સીફૂડને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ દિશાનિર્દેશો સાથે સહમત થતા સીકે બિરલા હોસ્પિટલ, દિલ્હી ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના સલાહકાર ડૉ. વિકાસ જિંદાલે કહ્યું કે જમ્યા પહેલા કે પછી ચા અથવા કોફી પીવાથી શરીર માટે આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનિજોનું શોષણ મુશ્કેલ બને છે શરીરમાં આ ખનિજોની ઉણપ થઇ શકે છે. ડો. જિંદાલે જણાવ્યું હતું કે, આયર્નના શોષણ ઉપરાંત ખોરાક સાથે પીણાં પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે જે પાચન માટે જરૂરી છે. ડો. જિન્દાલે જણાવ્યું હતું કે આ ખોરાક અને પોષક તત્ત્વોના શોષણને અસર કરી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
શું ઓટ્સ ખરેખર 'સુપરફૂડ' છે કે પછી તમે પણ ભૂલ કરી રહ્યા છો? જાણો ડૉક્ટર પાસેથી તેના ફાયદા અને નુકસાન
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Watermelon: શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
Health Tips: શું તમે પણ બાળકને ખવડાવવા માટે ફોન આપો છો, તો સાવધાન, વધી જાય છે આ બીમારીનું જોખમ
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget