શોધખોળ કરો

Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો

Antibiotic Resistance Risk : વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં આશરે 3.90 કરોડ લોકો એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુ પામી શકે છે

Antibiotic Resistance Risk : વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં આશરે 3.90 કરોડ લોકો એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુ પામી શકે છે. લેન્સેટમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર, 2022 થી 2050 સુધીમાં એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે મોતનો આંકડો 70 ટકા વધી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે 2050 સુધીમાં એન્ટિમાઈક્રોબાયલ રજિસ્ટેન્સના કારણે 1.18 કરોડ મોત માત્ર દક્ષિણ એશિયામાં જ થશે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે આફ્રિકામાં મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધશે.

એન્ટિબાયોટિક રજિસ્ટેન્સના કારણે મૃત્યુનું જોખમ શા માટે છે?

સંશોધકોનું કહેવું છે કે આજે એન્ટિબાયોટિકનો વધુ પડતો અને ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે બેક્ટેરિયા પર વધુ દબાણ આવે છે અને સમય જતાં બેક્ટેરિયા વધુ રજિસ્ટેન્સ બની રહ્યા છે. જો આને ટાળવું હોય તો એન્ટીબાયોટીક્સનો ઉપયોગ સમજદારીપૂર્વક અને યોગ્ય રીતે કરવો જોઈએ.

આ ચોંકાવનારો અભ્યાસ શું છે?

આ અભ્યાસ એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સ પ્રોજેક્ટ પર વૈશ્વિક સંશોધનનો ભાગ છે અને વિશ્વભરમાં તેના પ્રકારનો પ્રથમ અભ્યાસ છે. WHO કહે છે કે આ રજિસ્ટેન્સ સામાન્ય ચેપની સારવારને સમસ્યારૂપ બનાવે છે. કીમોથેરાપી અને સિઝેરિયન જેવા તબીબી હસ્તક્ષેપને તદ્દન જોખમી બનાવે છે. 204 દેશોના 52 કરોડથી વધુ હોસ્પિટલના રેકોર્ડ, વીમા દાવા અને મૃત્યુ પ્રમાણપત્ર જેવા ડેટાને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ માટે આંકડાકીય મોડેલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં શું બહાર આવ્યું?

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1990 થી 2021ની વચ્ચે એન્ટિમાઇક્રોબાયલ રજિસ્ટેન્સને કારણે દર વર્ષે 1 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે ભવિષ્યમાં વધુ વધશે. અભ્યાસના મુખ્ય લેખક કેવિન ઇકુટા કહે છે કે આગામી ક્વાર્ટર સદીમાં 3.90 કરોડ મૃત્યુ થઈ શકે છે. આ હિસાબે દર મિનિટે લગભગ 3 લોકોના મોત થઇ શકે છે. 

બાળકોમાં ઓછું જોખમ છે, વૃદ્ધો પર સૌથી વધુ ખતરો

સંશોધકોનો અંદાજ છે કે બાળકોમાં એન્ટીમાઇક્રોબિયલ રજિસ્ટેન્સના કારણે થતા મૃત્યુ દર વર્ષે ઘટતા રહેશે જે 2050 સુધીમાં અડધો થઈ જશે, જ્યારે વૃદ્ધોમાં મૃત્યુની સંખ્યા સમાન સમયગાળામાં બમણી થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની પેટર્ન આ પ્રકારની જાણકારી આપે છે

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Myths Vs Facts: લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર વજન ઉતરે છે? જાણો શું છે હકીકત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget