Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity in Child: બાળપણમાં સ્થૂળતા ઘણા રોગોનું કારણ બની શકે છે. જેના કારણે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ, હૃદયરોગ અને શ્વાસ સંબંધી તકલીફો થઈ શકે છે.
![Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ Lifestyle Every third child in India is a victim of obesity know the biggest reason and how to save Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/af1b2f12dcc66b821d87893a79cadab4171620641656476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Child Obesity Reasons: ભારતમાં દર ત્રીજું બાળક સ્થૂળતાનો (child obesity) શિકાર છે. 2003-2023ના 21 જુદા જુદા અભ્યાસોના (researches) વિશ્લેષણાત્મક અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં લગભગ 8.4% બાળકો સ્થૂળતાની પકડમાં છે, જ્યારે 12.4% ટકા વધુ વજન સાથે જીવે છે.
વિશ્વમાં મેદસ્વી બાળકોની સંખ્યામાં ભારત બીજા ક્રમે (India at 2nd rank in children obesity in the world) છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના (health experts) મતે આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમનું માનવું છે કે ખાવા-પીવાની આદતોને કારણે બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે, જેની અસર તેમના સમગ્ર સ્વાસ્થ્ય પર પડી રહી છે. જાણો બાળકોમાં સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ શું છે...
બાળકોમાં સ્થૂળતાનું સૌથી મોટું કારણ
- પેકેજ્ડ ખોરાકનો વધુ પડતો વપરાશ
બાળપણમાં સ્થૂળતા ઘણા રોગોનું કારણ બની શકે છે. જેના કારણે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ, હૃદયરોગ અને શ્વાસ સંબંધી તકલીફો થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ભારતીય બાળકોની ખાવાની આદતો બગડી રહી છે; તેઓ વધુ પેક કરેલા ખોરાકનો ઉપયોગ કરે છે, જે તેમને જાડા બનાવે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે ભારતમાં બાળકો માટેના ઘણા પેકેજ્ડ ખોરાકમાં ખાંડનું પ્રમાણ પશ્ચિમી દેશો કરતાં વધુ છે, જે બાળકોમાં સ્થૂળતાનું મુખ્ય કારણ બની રહ્યું છે.
- જંક ફૂડ્સ
આજકાલ, વ્યસ્ત જીવનશૈલીના કારણે, ઘણા માતા-પિતા તેમના બાળકોને જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડ ખવડાવી રહ્યા છે, જેના કારણે તેઓ સંતુલિત આહાર મેળવી શકતા નથી અને પોષણના અભાવને કારણે તેમનામાં સ્થૂળતા વધી રહી છે.
બાળકોમાં સ્થૂળતા વધવાથી શું છે ખતરો
- અનેક રોગો થઈ શકે છે
- માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે
- ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે
- વજન વધી શકે છે
- સ્થૂળતાના કારણે તેમની મજાક ઉડાવવામાં આવી શકે છે, જે ડિપ્રેશન અને ઓછા આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે.
બાળકોને સ્થૂળતાથી બચાવવા શું કરવું
- પેકેજ્ડ અને જંક ફૂડ ટાળો
- ખોરાકમાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર આપો.
- લીલા શાકભાજી અને તાજા ફળો ખવડાવો.
- બાળકોને ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખવડાવો.
- દિવસ દરમિયાન શક્ય તેટલું વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો
- બાળકને કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય મીઠી વસ્તુઓ ખાવાથી બચાવો. જેના કારણે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ, હૃદયરોગ અને શ્વાસ સંબંધી તકલીફો થઈ શકે છે. સ્થૂળતાના કારણે બાળકોમાં ડિપ્રેશન પણ વધી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)