![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Infertility: લગ્નના લાંબા સમય બાદ પણ છો નિ:સંતાન, તો આ બીમારી હોઇ શકે છે કારણભૂત, આજે જ કરાવો ટેસ્ટ
Infertility Problems: બાળક ન હોવું એટલે વંધ્યત્વની સ્થિતિ કયારેક દંપતિને અધુરપનો અહેસાસ કરાવે છે. હાલમાં જ એક એવી બીમારી વિશે જાણવા મળ્યું છે, જેના કારણે મહિલાઓમાં સંતાન ન થવાની સમસ્યા વધી રહી છે.
![Infertility: લગ્નના લાંબા સમય બાદ પણ છો નિ:સંતાન, તો આ બીમારી હોઇ શકે છે કારણભૂત, આજે જ કરાવો ટેસ્ટ Infertility: If you are childless even after a long time of marriage, then this disease can be the reason, get the test done today Infertility: લગ્નના લાંબા સમય બાદ પણ છો નિ:સંતાન, તો આ બીમારી હોઇ શકે છે કારણભૂત, આજે જ કરાવો ટેસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/487193704c9d122080ad1549472a2530167160469012481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Infertility Problems: બાળક ન હોવું એટલે વંધ્યત્વની સ્થિતિ કયારેક દંપતિને અધુરપનો અહેસાસ કરાવે છે. હાલમાં જ એક એવી બીમારી વિશે જાણવા મળ્યું છે, જેના કારણે મહિલાઓમાં સંતાન ન થવાની સમસ્યા વધી રહી છે.
માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. પરંતુ જો અત્યાર સુધી તમારા ઘરમાં કિલકિલાટ ગુંજી નથી, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. બાળક ન હોવું એટલે વંધ્યત્વની સમસ્યા (ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ) પણ કોઇપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. જેના કારણે ઘણી સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર બને છે. માનસિક સમસ્યાઓની સાથે શારીરિક સમસ્યાઓ પણ તેમને ઘેરી શકે છે. હાલમાં જ કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં કેટલીક મહિલાઓ કોઈ ખાસ બીમારીને કારણે માતા બની શકી નથી. એટલે કે, આ રોગના કારણે, વંધ્યત્વની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ આ બીમારી વિશે..
આ રોગને કારણે વંધ્યત્વ
તાજેતરના મામલા બાદ આ માહિતી સામે આવી છે કે ટીબીની સમસ્યા પણ મહિલાઓના માતા બનવાના માર્ગમાં અવરોધ ઉભી કરી શકે છે. તેથી, જો કોઈ મહિલા લાંબા સમયથી કુદરતી રીતે માતા બનવાનો પ્રયાસ કરી રહી હોય અને તેને સફળતા ન મળી રહી હોય, તો ફરી એકવાર ટીબી ટેસ્ટ કરાવવો જોઈએ. હાલમાં જ એક મોટી હોસ્પિટલના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ત્યાં વંધ્યત્વની સમસ્યાની સારવાર માટે પહોંચેલી લગભગ 23 ટકા મહિલાઓ ટીબીની બીમારીથી પીડિત છે. ટીબીની બીમારીની સારવાર કરાવ્યા બાદ તે માતા બની શકી હતી.
જીનીટલ ટીબીના દર્દીઓમાં વધુ તકલીફ
એક સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટીબીની સમસ્યાથી પીડિત મહિલાઓની લેપ્રોસ્કોપિક તપાસમાં લગભગ 55 ટકા મહિલાઓને જનનાંગ ક્ષય રોગ હોવાનું જાણવા મળ્યું છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જેનિટલ ટીબીનો ભોગ બનેલી લગભગ 87 ટકા મહિલાઓની ઉંમર માત્ર 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હતી.
ટીબીનો ચેપ ગર્ભાશયમાં પહોંચે છે
મહિલા રોગોના આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટીબીનો ચેપ મહિલાઓની ફેલોપિયન ટ્યુબ દ્વારા ગર્ભાશય સુધી પહોંચે છે. ટીબીનો ચેપ મહિલાઓના જનનાંગોના બાહ્ય ભાગો દ્વારા અંડાશય અને સર્વિક્સ સુધી પણ પહોંચે છે.
સારવાર શક્ય છે
ટીબીની નિયમિત સારવારથી આ સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા ખતરનાક બની શકે છે. અંડાશયમાંથી ઇંડા ફેલોપિયન ટ્યુબ દ્વારા જ ગર્ભાશય સુધી પહોંચે છે, પરંતુ ટીબીના બેક્ટેરિયા ફેલોપિયન ટ્યુબને બ્લોક કરે છે, જેના કારણે ગર્ભધાનમા અવરોધ થાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)