![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WHOની ચેતવણી, પુરુષોની સરખામણીએ ભારતીય મહિલાઓ છે વધુ આળસુ
લાન્સેટ ગ્લોબલ હેલ્થ રિપોર્ટ અનુસાર, 57 ટકા ભારતીય મહિલાઓ આળસુ છે.
![WHOની ચેતવણી, પુરુષોની સરખામણીએ ભારતીય મહિલાઓ છે વધુ આળસુ WHO warns alarming levels of physical inactivity among Indians WHOની ચેતવણી, પુરુષોની સરખામણીએ ભારતીય મહિલાઓ છે વધુ આળસુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/1ca311af33aac49f403aafa345ee3598171983304327774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફિઝિકલ એક્ટિવિટિઝનો અભાવ મહિલાઓ માટે જોખમી સાબિત થઇ શકે છે. લાન્સેટ ગ્લોબલ હેલ્થ રિપોર્ટ અનુસાર, 57 ટકા ભારતીય મહિલાઓ આળસુ છે. પુરુષોની સરખામણીએ મહિલાઓની નિષ્ક્રિયતાનો આંકડો વધારે છે. શારીરિક પરીશ્રમ ના કરવું ભારતીય મહિલાઓને ખૂબ જ બીમાર બનાવી શકે છે, તેથી સમયસર સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે.
લાન્સેટ ગ્લોબલ હેલ્થના રિપોર્ટમાં એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ 2030 સુધીમાં ફિઝિકલ એક્ટિવિટીઝ ન કરતી મહિલાઓનો આ આંકડો 60 ટકા સુધી પહોંચી શકે છે. WHOની માર્ગદર્શિકા અનુસાર શારીરિક પરીશ્રમ ન કરવો મહિલાઓમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીઓની શક્યતાઓ વધારી શકે છે.
FOMO મહિલાઓને આળસુ બનાવી રહ્યું છે
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર, મનોચિકિત્સકના જણાવ્યા અનુસાર, ભારતીય મહિલાઓ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ખૂબ જ એક્ટિવ રહે છે. મહિલાઓમાં ફિયર ઓફ મિસિંગ આઉટ (FOMO)નો ડર વધી રહ્યો છે. તેઓ એ વાતને લઇને ચિંતિત રહે છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમનાથી કોઈ માહિતી ચૂકી ન જવાય.
મનોરંજનનો વ્યાપ વધ્યો
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબથી લઈને ટીવી સિરિયલો અને વેબ સિરીઝ સુધી મહિલાઓના મનોરંજનનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ તેમની શારીરિક પ્રવૃત્તિઓ ઘટી રહી છે. ભારતીય મહિલાઓમાં સ્થૂળતા એક મોટી સમસ્યા છે જે અનેક રોગોનું મૂળ છે.
ઊંઘમાં ઘટાડો
ભારતીય મહિલાઓ પાસે તેમની કારકિર્દીની સાથે ઘરના કામકાજની જવાબદારી છે. આવી સ્થિતિમાં તેઓની ઊંઘ પુરી થઇ રહી નથી. મોબાઈલમાં મનોરંજનના ઘણા માધ્યમો ઉપલબ્ધ છે જેના કારણે સ્ક્રીન ટાઇમ વધી રહ્યો છે. ઊંઘ ન આવવાને કારણે મહિલાઓને મેદસ્વિતા, ડાયાબિટીસ, ડિપ્રેશન, નબળી યાદશક્તિ અને એકાગ્રતામાં ઘટાડો જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ફિટનેસ પર ધ્યાન આપો
ભારતીય મહિલાઓ ફિટનેસ પ્રત્યે સભાન નથી. જ્યારે સ્થૂળતા ખૂબ વધી જાય છે, ત્યારે સ્ત્રીઓ વજન ઘટાડવાનું વિચારે છે. આ માટે દરરોજ એક કલાકની શારીરિક પ્રવૃત્તિ જેમ કે યોગ, કસરત, મોર્નિંગ વોક ખૂબ જ જરૂરી છે.
સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે
તંદુરસ્તી માટે સ્વસ્થ આહાર મહત્વપૂર્ણ છે. મહિલાઓ આખા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, પરંતુ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. મહિલાઓ પોતાની દિનચર્યામાં સ્વસ્થ આહારનો સમાવેશ કરીને ફિટ અને એનર્જેટિક રહી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)