શોધખોળ કરો

Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ, મૃત્યુઆંક વધવાની આશંકા

Almora Bus Accident: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 20 લોકો ઘાયલ થયા છે.

Almora Bus Accident: ઉત્તરાખંડના અલ્મોડામાં બસ દુર્ઘટના અંગે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ સંબંધમાં પૌરી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારોમાં એઆરટીઓને ડિરેક્ટરને સસ્પેન્ડ  કરવાનો આદેશ આપ્યો છે. કમિશનર કુમાઉ ડિવિઝનને આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

 સોમવારે અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મર્ચુલા પાસે એક પેસેન્જર બસ ખાડામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે બસમાં 45 લોકો સવાર હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. એસએસપી અલ્મોરા પણ ઘટનાસ્થળે હાજર છે જ્યારે નૈનીતાલ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે.

 પ્રશાસને અલ્મોડા માર્ગ અકસ્માતમાં 36 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ત્રણ લોકોને સારવાર માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને રામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કુમાઉના ડિવિઝનલ કમિશનર દીપક કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની સૂચના આપવામાં આવી છે. એઈમ્સના ડોક્ટરોની એક ટીમ રામનગર આવશે. SDRF, SDM, વહીવટીતંત્ર સ્થળ પર છે.

 

મૃત્યુઆંક વધી શકે છે

આ દુર્ઘટનામાં 36 મુસાફરોના મોત થયા છે, જ્યારે અનેક  મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 15 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હજુ પણ બસમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર છે, જે બાદ બસને કાપીને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીએમ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો

સીએમ પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું- 'અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં જાનહાનિના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘાયલોને બહાર કાઢવા અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે ઝડપથી કામ કરી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Embed widget