શોધખોળ કરો

Pavagadh News: પાવાગઢ મંદિરમાં ઘટી દુર્ઘટના, 9થી વધુ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, 1 મહિલાનું મોત

Pavagadh News:યાત્રાધામ પાવાગઢમાં એક પથ્થરની કુટીરની છત ધરાશાયી થતાં 9થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે તો 1 મહિલાનું મોત નિપજ્યું છે.

Pavagadh News:યાત્રાધામ પાવાગઢમાં ઘુમટી પડવાની બની ઘટનામાં 9થી વધુ  ભાવિકોને  ઇજા પહોંચી છે. તમામ  ઇજાગ્રસ્તને તાબડતોબ વડોદરા હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા છે.. 

પાવાગઢ યાત્રા ઘામાં આજે  શ્રીફળ વધારવની જગ્યાએ શ્રદ્ધાળુ જ્યારે શ્રીફળ વધારતા હતા આ સમયે વરસાદ શરૂ થતાં કેટલાક અન્ય ભાવિકો પણ વરસાદથી બચવા માટે આ પથ્થરની કુટિર નીચે ઉભા હતા આ સમયે છત ધરાશાયી થતાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જેમાં સાતની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા .

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ ઘાયલ

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટને ઈજા થઈ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. સૈન્ય અધિકારીએ કહ્યું, હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.  

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

માર્ચમાં અરૂણાચલ પ્રદેશમાં ચિતા હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

16 માર્ચે, અરુણાચલ પ્રદેશમાં બોમડિલા ચિતા હેલિકોપ્ટર ATC સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બંને પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા માર્યા ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે આ કેસમાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં કેરળના કોચી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોચી એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.  પરંતુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ તરત જ એરપોર્ટનો રનવે અકસ્માત સ્થળ પર નિરીક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

એક સત્તાવાર નિવેદન અનુસાર, આજે બપોરે 12.25 વાગ્યે CIAL થી ટેકઓફ કરતી વખતે કોસ્ટ ગાર્ડ ALH હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આથી એરપોર્ટની કામગીરી 2 કલાક માટે હંગામી ધોરણે સ્થગિત કરવી પડી હતી. કોચીમાં રનવે બંધ થયા બાદ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ત્રિવેન્દ્રમ તરફ વાળવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ALHને ઓપરેશનલ એરિયામાંથી બપોરે 2 વાગ્યાની આસપાસ દૂર કરવામાં આવ્યું હતું અને સલામતી નિરીક્ષણ બાદ રનવેને મોટાભાગે સાફ કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ઓપરેશન ટૂંક સમયમાં ફરી શરૂ થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ શુક્રવારે સાંજે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહી હતી. વિમાનમાં ક્રૂના 6 સભ્યો સાથે કુલ 197 મુસાફરો સવાર હતા. હાઇડ્રોલિક ફોલ્ટ બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget