શોધખોળ કરો

9 year of Modi Government: મોદી સરકારના એ આ 5 મોટા વાયદા, જે 2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું લક્ષ્યાંક પણ નથી થયા પૂર્ણ

NDAએ સત્તામાં રહીને 9 વર્ષ પૂરા કર્યા છે. આ 9 વર્ષમાં નરેન્દ્ર મોદીએ જનહિતમાં સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જન ધન યોજના સુધીની અનેક યોજનાઓ શરૂ કરી.

9 year of Modi Government:આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી હતી. તે વર્ષે, મોદી લહેર પર સવાર થઈને, ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી.

વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ મોદી સુનામીએ વિપક્ષી પાર્ટીઓના ઘણા જૂના વૃક્ષો ઉખેડી નાખ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર ભારતીય જનતા પાર્ટીએ 303 લોકસભા સીટો જીતી હતી.

હવે NDAએ સત્તામાં 9 વર્ષ પૂરા કર્યા છે. આ 9 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જન ધન યોજના સુધી, પાકું ઘરથી લઈને દરેક ભારતીય પરિવારને દરેક ઘરમાં પીવાના પાણીની સુવિધા સુધી જનહિતમાં અનેક યોજનાઓ શરૂ કરી હતી.

વર્તમાન સરકારે આ જાહેરાતો અને યોજનાઓને પૂર્ણ કરવા માટે સમય મર્યાદા પણ નક્કી કરી હતી. હવે સવાલ એ થાય છે કે શું આ યોજનાઓને લઈને પીએમ મોદીએ નક્કી કરેલો ટાર્ગેટમાં આ કામ પૂર્ણ કર્યું છે કે નહી

Pm મોદીના 5 મોટા વચનો

1.દરેક ભારતીય પરિવાર માટે પાકું ઘરઃ કેન્દ્ર સરકારની આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એક મહત્વપૂર્ણ યોજના છે. આ અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર આપવાનો પ્રયાસ કરે છે. PM મોદી દ્વારા વર્ષ 2015માં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' શરૂ કરવામાં આવી હતી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભારતના દરેક પરિવારને પાકું ઘર પૂરું પાડવાનો હતો. જો કે, નિર્ધારિત સમય સુધીમાં લક્ષ્‍યાંક પૂરો ન કરવાને કારણે યોજનાનો સમયગાળો વર્ષ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.

વર્ષ 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે, આ યોજના શરૂ કરતી વખતે ગ્રામીણ ભારતમાં 2.95 કરોડ પાકાં મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી એટલે કે વર્ષ 2021 સુધીમાં માત્ર 1.65 કરોડ ઘર પોતે જ બનાવ્યું છે.

2દરેક ઘરમાં 24 કલાક વીજળીની ઉપલબ્ધતા: બધાને પાકું ઘર આપવાની જાહેરાતની જેમ જ, સપ્ટેમ્બર 2015માં, વડા પ્રધાને કહ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં, ભારતના દરેક ઘરને 24 કલાક વીજળી મળશે. . સરકારની આ જાહેરાતની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ભારતના તમામ ઘરોમાં 24 કલાક વીજળી પહોંચી શકી નથી. 24 કલાક વીજળી મળવાથી ઘણા ગામડાઓ દૂર છે જ્યાં આજ સુધી વીજળી પહોંચી નથી.

 

3.પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાઃ સપ્ટેમ્બર 2018માં દેશના વડાપ્રધાને કહ્યું હતું કે, આવનારા ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે. પીએમ મોદીની આ જાહેરાતને ભાજપના ઘણા નેતાઓએ જાહેર મંચો અને ચૂંટણી રેલીઓમાં પણ દોહરાવી છે.

હવે વર્ષ 2022 પૂરું થઈ ગયું છે અને આ વર્ષે ભારતનું પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર લક્ષ્ય પૂરું થઈ શક્યું નથી. દેશની અર્થવ્યવસ્થા હાલમાં લગભગ ત્રણ ટ્રિલિયન ડોલર પર અટવાયેલી છે.

 

4. ખેડૂતોની આવક બમણી: વર્ષ 2017માં ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વર્ષ 2021 સુધી કેન્દ્ર સરકારના દરેક વાર્ષિક બજેટમાં આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત સમય પૂરો થઈ ગયો છે પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી.

વર્ષ 2023-24ના વાર્ષિક કેન્દ્રીય બજેટમાં ખેડૂતોના અંદાજપત્રમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે વર્ષ 2023-24માં કૃષિ બજેટ 1.24 લાખ કરોડ હતું, જે ઘટીને લગભગ 1.15 કરોડ થઈ ગયું છે.

પાક વીમા યોજના માટેની ફાળવણી પણ ગયા વર્ષની સરખામણીએ રૂ. 15,500 કરોડથી ઘટાડીને રૂ. 13,625 કરોડ કરવામાં આવી છે. આ સિવાય ખાતર પરની સબસિડીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

5બુલેટ ટ્રેનની પૂર્ણાહુતિ: 14 સપ્ટેમ્બર 2017ના રોજ, PM નરેન્દ્ર મોદીએ જાપાનના તત્કાલિન વડા પ્રધાન શિન્ઝો આબે સાથે ગુજરાતના અમદાવાદમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેના તેમના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે મોદી સરકારે કહ્યું હતું કે જ્યારે દેશ 15 ઓગસ્ટ, 2022 ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, ત્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પાટા પર દોડવાનું શરૂ કરશે. હવે વર્ષ 2022 પૂરું થઈ ગયું છે, પરંતુ આ વાયદો પણ પૂર્ણ નથી થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget