શોધખોળ કરો

Vijay Rupani Funeral: વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર, પુત્ર ઋષભે કહ્યું કે, ‘હું ભગવાનને .....’

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયાની પુષ્ટિ થઈ છે. આજે વિજય રૂપાણીના પાર્થિવ શરીરને તેમના પરિવારને સોંપ્યા બાદ, રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vijay Rupani Last Rites: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અકાળ અવસાન બાદ, આજે (16 જૂન) તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. આ મોટા અકસ્માતમાં અત્યાર સુધીમાં 97 ડીએનએ મેચ થયાની પુષ્ટિ થઈ છે અને 35 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

 આજે યાદીમાં વિજય  રૂપાણીનું નામ પણ સામેલ થશે, જેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવ્યો  છે. સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બધી આત્માઓને મુક્તિ મળે - ઋષભ રૂપાણી

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ANI ને આપેલા એક નિવેદનમાં આ પ્રસંગે ઊંડો શોક વ્યક્ત કર્યો અને તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "દુઃખની આ ઘડીમાં, હું અમારા રૂપાણી પરિવાર વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં પરંતુ 270 પરિવારો માટે પણ દુઃખદ સમય છે."

 

તેમણે કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધા આત્માઓને મુક્તિ આપે. હું તમામ આરોગ્ય કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ, પોલીસ દળ, RSS કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સમય દરમિયાન કરવામાં આવેલ રાહત અને બચાવ કાર્ય પ્રશંસનીય છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દરેકનો તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું."

 

રાજકોટ એરપોર્ટ પહોંચ્યા પછી અંતિમ યાત્રા શરૂ થશે

આજે યોજાનારી આ અંતિમ યાત્રાનો રૂટ પહેલાથી જ નક્કી થઈ ગયો છે. સવારે 11 વાગ્યે, રૂપાણીનો પરિવાર ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. સવારે 11.30 વાગ્યે, મૃતદેહને ઔપચારિક રીતે હોસ્પિટલમાં સ્વીકારવામાં આવશે. ત્યાંથી એરપોર્ટ સુધીની યાત્રા સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી રહેશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે, રૂપાણીના પાર્થિવ શરીરને અમદાવાદથી રાજકોટ એરલિફ્ટ કરવામાં આવશે. બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજકોટ એરપોર્ટ પહોંચ્યા બાદ, અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થશે.

 

રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધી, બધા શ્રદ્ધાંજલિ આપશે

બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ 2:૩૦ થી 4 વાગ્યા સુધી, ગ્રીનલેન્ડ ચોકથી રાજકોટ નિવાસસ્થાન સુધી અંતિમ યાત્રા પૂર્ણ થશે. સાંજે 4થી5૫ વાગ્યા સુધી રાજકોટ નિવાસસ્થાન પર સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમિયાન, પક્ષના કાર્યકરો, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Embed widget