શોધખોળ કરો

કોરોના સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશન આવ્યું હરકતમાં, શું લેવાયો મોટો નિર્ણય?

વધતાં કોરોનાના કેસોને પગલે શહેરમાં કોરોનાના ટેસ્ટમાં આજથી વધારો કરાશે. એક દિવસમાં 15 હજાર ટેસ્ટિંગ ઉપર ભાર મુકાશે. બંધ કરેલા ડોમ AMC દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યા છે. 

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પીક પકડી છે અને દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે, એમાં પણ સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. વધતાં કોરોનાના કેસોને પગલે શહેરમાં કોરોનાના ટેસ્ટમાં આજથી વધારો કરાશે. એક દિવસમાં 15 હજાર ટેસ્ટિંગ ઉપર ભાર મુકાશે. બંધ કરેલા ડોમ AMC દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યા છે. 

વસ્ત્રાપુર તળાવ, ફલાયઓવર બ્રિજ, AMTS અને BRTS ટર્મિનસ ઉપર ડોમ ઉભા કરાયા છે. નવા પશ્ચિમઝોનમાં જ 12 નવા ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સીએમ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ AMC દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટ ઝોનની સ્થિતિ ઉપર નજર રખાશે. ડોમની અંદર વેક્સીન માટેની વ્યવસ્થા અને એન્ટીજન ટેસ્ટ માટેની પણ વ્યવસ્થા શરૂ કરાશે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 102  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,589  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે  મોત થયું છે.  આજે 2,32,392  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74,  વડોદરા   કોર્પોરેશનમાં 41 , રાજકોટ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર કોર્પોરેશન 10, રાજકોટ કોર્પોરેશન 10, અમદાવાદ 9, મહીસાગર 9, વડોદરા 9, ભરુચ 8, ખેડા 8, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, અમરેલી 5, મહેસાણા 5, પંચમહાલ 4, સુરત 4, ગાંધીનગર 3, મોરબી 3, જૂનાગઢ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2371  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 2360 નાગરિકો સ્ટેબલ છે. 8,18,589 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1, અરવલ્લી 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 597 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 7961 લોકોને પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
 
અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, જામનગર, નર્મદા, પાટણ, પોરબંદર અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીમાં કેમ ખાવા પડે છે ધક્કા?
Navsari News: નવસારીમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતના બનાવો વધ્યા
Surat news: સુરત એરપોર્ટ આસપાસ ઊંચી ઇમારતના કેસમાં હાઇકોર્ટે ફરી સર્વે કરવા કર્યો આદેશ
Gujarat Rains Forecast: 16થી 18 ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
'કોઈ વ્યક્તિ ફક્ત આધાર, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખવાથી ભારતનો નાગરિક બની શકતો નથી', બોમ્બે હાઈકોર્ટની મોટી ટિપ્પણી
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ભારતનો મોટો નિર્ણય: આગામી મહિનાથી ચીન સાથે શરૂ થશે સીધી....
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
Ahmedabad safest city: ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અમદાવાદ; મુંબઈ, દિલ્હીને પણ પાછળ છોડ્યું
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
ICICI બાદ હવે HDFC બેંકે મીનીમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ધરખમ વધારો, જાણો ખાતામાં કેટલા રૂપિયા રાખવા પડશે
Embed widget