શોધખોળ કરો

હવે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ઇંડા-નોનવેજની લારીઓ નહીં ઊભી રાખી શકાય?

શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ  પાસે ઈંડા અને  નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે

અમદાવાદઃ ઈંડા અને નોનવેજની લારીઓ અંગે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ  પાસે ઈંડા અને  નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. ટી પી કમિટીમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલથી અમલ ચાલુ કરશે.

રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે.

બીજી તરફ અમદાવાદના પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી  જાહેરમાં નોનવેજની લારી ન ઉભી રાખવા દેવામાં ના આવે તેવી વાત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે  નોનવેજની લારીઓના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. લારીની આસપાસ સ્વચ્છતાનુ પણ ધ્યાન ન રખાતુ હોવાની કાઉન્સિલરે ફરિયાદ કરી હતી.  આ તમામ કારણો સાથે ત્વરિત ધોરણે જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની રજૂઆત કરી હતી.

પાટનગર ગાંધીનગરમાં જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની દિશામાં કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરમાં નોનવેજની લારીઓ ક્યાં અને કેટલા પ્રમાણમા તે મામલે સર્વે કરવા મેયરે આદેશ આપ્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ ગાંધીનગર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પરથી આ પ્રકારની નોન વેજ લારીઓ અને અન્ય દબાણો દૂર કરાશે. તો મેયરે નાગરિકોને અપીલ કરી હતી કે આ પ્રકારે નોનવેજની લારીઓ કે અન્ય દબાણોથી મુશ્કેલી પડતી હોય તો રજૂઆત કરવામાં આવે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Embed widget