શોધખોળ કરો

અમદાવાદના પોલીસ કમિશનરે શહેરના તમામ 67 પીઆઈને શું કર્યો મોટો આદેશ ? પીઆઈની બગડી જશે હાલત

આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે.

અમદાવાદઃ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરના તમામ 67 પીઆઇને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહીને અજદારોને સાંભળવા આદેશ આપ્યો છે. તમામ પીઆઇએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં અરજદારોને સાંભળવા પડશે. અરજદારોની સમસ્યા પોલીસ સ્ટેશનથી જ નિકાલ થઇ જાય એ માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ પીઆઈને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે. પોલીસ કમિશનરના આ નિર્ણયથી પોલીસ ઇન્સ્પેક્ટર્સ નારાજ હોવાની ચર્ચા છે. આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે. આ નિયમનું પાલન કરાવવાની જવાબદારી એસીપી, ડીસીપી તેમજ અધિક પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. શહેરના 48 પોલીસ સ્ટેશનો, ટ્રાફિકના 17 પોલીસ સ્ટેશનો તેમ જ મહિલા ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર(પીઆઇ)ને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં 15 કલાક હાજર રહેવું પડશે. તેમજ સવારે 9 વાગ્યે પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમની સરકારી જીપના વાયરલેસ સેટ પરથી કંટ્રોલરૂમમાં જાણ કરવી પડશે. એવી જ રીતે રાતે 12 વાગ્યે પોલીસ સ્ટેશન છોડતી વખતે પણ આ જ પ્રમાણે જાણ કરવી પડશે. પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતના તમામ અધિકારીઓની નિયમિત નાઇટ ડ્યૂટી આવે છે, જેમાં તેમણે સવારે 6 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. પોલીસ કમિશનરે આ અધિકારીઓને પણ સ્પષ્ટ આદેશ કર્યો છે કે નાઇટ કરી હોય તો પણ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જવું. પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે, એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરાશે. જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરા તેમની સામે ખાતાકીય પગલાં લેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Embed widget