શોધખોળ કરો

અમદાવાદમાં કર્ફ્યૂઃ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓ રઝળ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદમાં કર્ફ્યૂને પગલે પોલીસ દ્વારા રસ્તા પરથી નીકળતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે રસ્તા પર એકલ-દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમજ શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે.

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધી જતા રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. કર્ફ્યૂને પગલે આજે વહેલી સવારથી જ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. જોકે, કર્ફ્યૂને કારણે વતન જવા માંગતા લોકો રઝળી પડ્યા હતા. એટલું જ નહીં, બીજા રાજ્યમાંથી આવતાં લોકો શહેરના એન્ટ્રી પોઇન્ટ પર રઝળી પડ્યા હતા. અમદાવાદમાં કર્ફ્યૂને પગલે પોલીસ દ્વારા રસ્તા પરથી નીકળતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે રસ્તા પર એકલ-દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમજ શહેરમાં દુકાનો બંધ જોવા મળી રહી છે. એન્ટ્રી પોઇન્ટ પર મુસાફરો અટવાયા શહેરના સનાથલ સર્કલ પર પ્રવાસી રઝળ્યા હતા. અમદાવાદ શહેરમાં બસને પ્રવેશ ન હોવાથી બસને રિંગરોડ ફરતેના એન્ટ્રી પોઇન્ટ પર ઉતારવામાં આવી રહ્યા છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ અટવાયા હતા. પ્રવાસીઓ બસની રાહ જોઈ રહ્યા છે. અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી છે. આઇસીએઆઈ (ICAI) અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે. ICAIના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19ની અસરને સમજતાં, ICAIએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021થી મે 2021ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે. ICAIઅમદાવાદના અધ્યક્ષ સી.એ.ફેનીલ શાહે વધુમાં જણાવ્યું કે, COVID-19થી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને, ICAIએ કેટલીક ખાસ સુવિધા આપી છે જેમાં તે તેની પરીક્ષાના અંતિમ સમય સુધી ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમજ આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં હાજર રહેશે અથવા મે 2021 અને તે માટે ઓનલાઇન વિંડોની સુવિધા આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget