શોધખોળ કરો
અમદાવાદઃ કેમિકલ ફેક્ટરીમાં આગને કારણે 12 લોકોના મોત છતાં અમદાવાદના મેયરે શું આપ્યું ચોંકાવનારું નિવેદન?
મેયરે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરું છું. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર છે.

અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડતાં 12 લોકોના મોત થયાં છે. આ ગંભીર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, અમદાવાદના મેયર બીજલ પટેલ સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યા નહોતા. તેમણે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજા પામેલા લોકોની સારવાર અગત્યની છે એમ કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી નીકળી ગયાં હતાં.
વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યા બાદ તેઓ તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. તેમણે એલ.જી હોસ્પિટલ પહોંચીને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મેયરે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરું છું. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર છે.
નોંદનીય છે કે, આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો સારવાર હેઠળ છે. ઈજા પામેલા તમામ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં હોવા છતા મેયર બીજલ પટેલે સામાન્ય ઘટના ગણાવી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement