શોધખોળ કરો

AHMEDABAD : વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ અમદાવાદના રસ્તાઓ પાણી પાણી, જુઓ Video

Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના 12 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીની સામનો કરી રહ્યાં છે. સાથે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ થઇ રહ્યાં છે.

Ahmedabad : અમદાવાદમાં પાણી કે પાણીમાં અમદાવાદ? અમદાવાદમાં વરસાદના 12 કલાક પછી પણ અમુક વિસ્તારમાં પાણી ન ઓસરતા અમદાવાદવાસીઓને આ પ્રશ્ન થયા એ સ્વાભાવિક છે. ગઈકાલે 10 જુલાઈએ પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે અમુક વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતા. પણ અમુક વિસ્તારમાં 12 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીની સામનો કરી રહ્યાં છે. સાથે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ થઇ રહ્યાં છે. 

પ્રહલાદ નગર અને બોપલ વિસ્તારમાં પાણી જ પાણી 
અમદાવાદમાં વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારથી સરખેજ તરફ જવાના રસ્તે રસ્તાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. પોશ ગણાતા કોર્પોરેટ રોડ પર રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ  વિસ્તારમાં આવેલું 'પાંચ તળાવ' છલોછલ બરૈ ગયું છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં હજુ પણ અમુક વાહનો ડૂબેલા છે. આ વિસ્તરમાં દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. પ્રહલાદનગર જેવી જ સ્થિતિ બોપલ, આંબલી, શેલા, સરસપુર વિસ્તારોની છે - જુઓ વિડીયો 

સરસપુરમાં 9  કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા 
ભગવાન જન્નાથજીના મોસાળીયા મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના સરસપુરમાં પાણી ન ઓસરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ બંધ થયાના 9 કલાક બાદ પણ યોગ સર્કલ પાણીમાં ગરકાવ છે. જો કે આ વિસ્તારના  કોર્પોરેટર દિનેશ કુશવાહાએ કોર્પોરેશનનો ભવા કર્યો હતો અને કહ્યું હતું કે પહેલા વધારે પાણી ભરાતું હતું અને હવે ઓછું ભરાય છે. જી કે તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે સરસપુરમાં વર્ષોથી પાણી ભરાય છે. 

જીવરાજ પાર્ક અને વાસણામાં ઘરમાં ઘુસ્યા પાણી 
મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જીવરાજ પાર્કમાં  મહિમા એપાર્ટમેન્ટ અને વાસણા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણા ઘરમા પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget