શોધખોળ કરો

Air India plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 210 DNA સેમ્પલ થયા મેચ, 187 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Air India plane crash:નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા

Air India plane crash: ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે પુષ્ટી કરી હતી કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા દુર્ઘટનાના એક અઠવાડિયા પછી 210 પીડિતોના DNA સેમ્પલ તેમના પરિવારો સાથે મેચ થયા છે અને 187 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું હતું કે "19/06/2025 ના રોજ સવારે 8:30 વાગ્યે અપડેટ કરવામાં આવ્યું છે. DNA મેચ થયાની સંખ્યા - 210. સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 210. પરિવારજનોને સોંપવામાં આવેલા મૃતદેહોની સંખ્યા- 187. અન્ય મૃતદેહો ટૂંક સમયમાં સોંપવામાં આવશે."

દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. વિમાન (અવરોધો તોડી પાડવા) નિયમો, 2025 નામનો ડ્રાફ્ટ 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.

નિયમોનો હેતુ અધિકારીઓને એ વૃક્ષો અને ઈમારતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવાનો છે જેની ઉંચાઇ એરપોર્ટ વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ છે. તેને ફ્લાઇટના માર્ગમાં અવરોધોને કારણે થતા સંભવિત અકસ્માતોને રોકવા માટે એક સક્રિય પગલા તરીકે જોવામાં આવે છે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની કલમ 18ની પેટા કલમ (1) હેઠળ કોઈપણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સંબંધિત એરપોર્ટના પ્રભારી અધિકારી પાસે એવું માનવાનું કારણ છે કે કોઈપણ ઇમારતના માલિક  ઉપરોક્ત સૂચનાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો તે ઉપરોક્ત કલમની પેટા કલમ (3) માં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, ઇમારત અથવા વૃક્ષના માલિકને નોટિસની એક નકલ સોંપશે."

ડ્રાફ્ટ હેઠળ નિર્ધારિત ઊંચાઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ ઈમારતને એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ આપી શકાય છે. માલિકોએ સાઠ દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવાની રહેશે. પાલન ન કરવાથી તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. ભૌતિક ચકાસણી માટે અધિકારીઓને માલિકને જાણ કર્યા પછી પરિસરમાં પ્રવેશવાની સત્તા આપવામાં આવી છે.

જો કોઈ પાલન ન થાય તો ઇન્ચાર્જ અધિકારીએ આ બાબતની જાણ જિલ્લા કલેક્ટરને કરવાની રહેશે, જે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે ડિમોલિશન અથવા કાપણીનું કામ આદેશ મુજબ હાથ ધરવામાં આવે. આ પ્રક્રિયા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી જ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget