શોધખોળ કરો

Air India plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 210 DNA સેમ્પલ થયા મેચ, 187 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Air India plane crash:નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા

Air India plane crash: ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે પુષ્ટી કરી હતી કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા દુર્ઘટનાના એક અઠવાડિયા પછી 210 પીડિતોના DNA સેમ્પલ તેમના પરિવારો સાથે મેચ થયા છે અને 187 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું હતું કે "19/06/2025 ના રોજ સવારે 8:30 વાગ્યે અપડેટ કરવામાં આવ્યું છે. DNA મેચ થયાની સંખ્યા - 210. સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 210. પરિવારજનોને સોંપવામાં આવેલા મૃતદેહોની સંખ્યા- 187. અન્ય મૃતદેહો ટૂંક સમયમાં સોંપવામાં આવશે."

દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. વિમાન (અવરોધો તોડી પાડવા) નિયમો, 2025 નામનો ડ્રાફ્ટ 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.

નિયમોનો હેતુ અધિકારીઓને એ વૃક્ષો અને ઈમારતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવાનો છે જેની ઉંચાઇ એરપોર્ટ વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ છે. તેને ફ્લાઇટના માર્ગમાં અવરોધોને કારણે થતા સંભવિત અકસ્માતોને રોકવા માટે એક સક્રિય પગલા તરીકે જોવામાં આવે છે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની કલમ 18ની પેટા કલમ (1) હેઠળ કોઈપણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સંબંધિત એરપોર્ટના પ્રભારી અધિકારી પાસે એવું માનવાનું કારણ છે કે કોઈપણ ઇમારતના માલિક  ઉપરોક્ત સૂચનાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો તે ઉપરોક્ત કલમની પેટા કલમ (3) માં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, ઇમારત અથવા વૃક્ષના માલિકને નોટિસની એક નકલ સોંપશે."

ડ્રાફ્ટ હેઠળ નિર્ધારિત ઊંચાઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ ઈમારતને એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ આપી શકાય છે. માલિકોએ સાઠ દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવાની રહેશે. પાલન ન કરવાથી તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. ભૌતિક ચકાસણી માટે અધિકારીઓને માલિકને જાણ કર્યા પછી પરિસરમાં પ્રવેશવાની સત્તા આપવામાં આવી છે.

જો કોઈ પાલન ન થાય તો ઇન્ચાર્જ અધિકારીએ આ બાબતની જાણ જિલ્લા કલેક્ટરને કરવાની રહેશે, જે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે ડિમોલિશન અથવા કાપણીનું કામ આદેશ મુજબ હાથ ધરવામાં આવે. આ પ્રક્રિયા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી જ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget