શોધખોળ કરો

Air India plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 210 DNA સેમ્પલ થયા મેચ, 187 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Air India plane crash:નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા

Air India plane crash: ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે પુષ્ટી કરી હતી કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા દુર્ઘટનાના એક અઠવાડિયા પછી 210 પીડિતોના DNA સેમ્પલ તેમના પરિવારો સાથે મેચ થયા છે અને 187 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મંત્રી ઋષિકેશ પટેલે લખ્યું હતું કે "19/06/2025 ના રોજ સવારે 8:30 વાગ્યે અપડેટ કરવામાં આવ્યું છે. DNA મેચ થયાની સંખ્યા - 210. સંપર્ક કરાયેલા સંબંધીઓની સંખ્યા - 210. પરિવારજનોને સોંપવામાં આવેલા મૃતદેહોની સંખ્યા- 187. અન્ય મૃતદેહો ટૂંક સમયમાં સોંપવામાં આવશે."

દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણો કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. વિમાન (અવરોધો તોડી પાડવા) નિયમો, 2025 નામનો ડ્રાફ્ટ 18 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.

નિયમોનો હેતુ અધિકારીઓને એ વૃક્ષો અને ઈમારતો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપવાનો છે જેની ઉંચાઇ એરપોર્ટ વિસ્તારોમાં ઊંચાઈ મર્યાદા કરતાં વધુ છે. તેને ફ્લાઇટના માર્ગમાં અવરોધોને કારણે થતા સંભવિત અકસ્માતોને રોકવા માટે એક સક્રિય પગલા તરીકે જોવામાં આવે છે.

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કાયદાની કલમ 18ની પેટા કલમ (1) હેઠળ કોઈપણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સંબંધિત એરપોર્ટના પ્રભારી અધિકારી પાસે એવું માનવાનું કારણ છે કે કોઈપણ ઇમારતના માલિક  ઉપરોક્ત સૂચનાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો તે ઉપરોક્ત કલમની પેટા કલમ (3) માં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, ઇમારત અથવા વૃક્ષના માલિકને નોટિસની એક નકલ સોંપશે."

ડ્રાફ્ટ હેઠળ નિર્ધારિત ઊંચાઈ મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ ઈમારતને એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ આપી શકાય છે. માલિકોએ સાઠ દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવાની રહેશે. પાલન ન કરવાથી તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે. ભૌતિક ચકાસણી માટે અધિકારીઓને માલિકને જાણ કર્યા પછી પરિસરમાં પ્રવેશવાની સત્તા આપવામાં આવી છે.

જો કોઈ પાલન ન થાય તો ઇન્ચાર્જ અધિકારીએ આ બાબતની જાણ જિલ્લા કલેક્ટરને કરવાની રહેશે, જે ખાતરી કરવા માટે જવાબદાર રહેશે કે ડિમોલિશન અથવા કાપણીનું કામ આદેશ મુજબ હાથ ધરવામાં આવે. આ પ્રક્રિયા અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા જેવી જ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget