શોધખોળ કરો

અમદાવાદમાં ૨૪૨ મુસાફરો સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: મેઘાણીનગરમાં કાળો કેર, મોદી શાહ અમદાવાદ આવવા રવાના!

પ્લેન ડોક્ટરોના રહેણાંક બિલ્ડિંગ પર પડ્યું, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા; એરપોર્ટ બંધ, ૧૦૦થી વધુ મૃત્યુની આશંકા.

Air India crash Ahmedabad 242 passengers: અમદાવાદ શહેર માટે આજે ગુરૂવાર કાળ બનીને આવ્યો હતો. મેઘાણીનગર સ્થિત આઈજીપી કમ્પાઉન્ડમાં, જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓ રહે છે, ત્યાં એર ઈન્ડિયાનું બોઈંગ ૧૭૧ નંબરનું પેસેન્જર પ્લેન ટેકઓફ થયાની માત્ર ૨ મિનિટ બાદ જ ક્રેશ થઈ ગયું હતું. બપોરે ૧.૩૮ વાગ્યે ટેકઓફ થયેલું પ્લેન ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈને રહેણાંક બિલ્ડિંગ પર પડ્યું, જેના કારણે આકાશ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું હતું અને ચારેતરફ ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.

ભયાનક જાનહાનિ અને રેસ્ક્યુ ઓપરેશન:

અમદાવાદથી લંડન (ગેટવિક) જતી આ ફ્લાઇટ AI 171 માં અંદાજે ૨૪૨ જેટલા મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં ૨૦૦થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની શક્યતા છે. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. પ્લેનના પાંખડા જ્યાં લોકોની અવરજવર હતી ત્યાં પડતા, કેટલાક લોકો દબાઈ ગયા હતા, જેમાં પણ કેટલાકના મોત થયા હોવાની આશંકા છે.

સરકારી તંત્ર સક્રિય અને ઉચ્ચ સ્તરીય દખલ:

ઘટનાની ગંભીરતાને જોતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં રાજ્ય સરકારના અધિકારીઓ, પોલીસ, CRPF, નેવી ઓફિસર સહિતના તમામ મોટા અધિકારીઓ અને એક મોટી ટીમ સેવા આપી રહી છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવા સૂચનાઓ આપી છે અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરીને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વડોદરા ફાયર બ્રિગેડના ૨૫ ફાયર એન્જિન પણ અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે.

એરપોર્ટ બંધ અને વિજય રૂપાણી પણ પ્લેનમાં:

એર ઈન્ડિયાની ૧૭૧ ફ્લાઇટ ક્રેશ થતા હાલ અમદાવાદ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અદાણી એરપોર્ટ દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે અને મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સ સાથે નવીનતમ અપડેટ્સ માટે તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં સવાર હતા. તેઓ બિઝનેસ ક્લાસમાં એકલા અને પહેલી હરોળની સીટમાં બેઠા હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોક અને સ્તબ્ધતાનો માહોલ છવાઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Embed widget