શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની ચિંતન શિબિર, 40થી વધુ નેતાઓ ગુજરાતમાં કરશે મંથન

ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર યોજાશે. નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે

અમદાવાદ: ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને 16 મેના રોજ યોજાશે. નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. વર્ષના અંતમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના 40 થી વધુ નેતાઓ બે દિવસ સુધી ચૂંટણી અંગે વિચારણા કરશે. આવતી કાલે એટલે કે 15 અને 16 મેના રોજ ભાજપનું ચિંતન શિબિર યોજાઈ રહ છે, જેમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાર્ટીની કોર કમિટીના સભ્યો તેમજ સંસદીય બોર્ડના સભ્યો બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાજપ મહામંત્રીની સાથે સંગઠનના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીની આ પ્રથમ ચિંતન શિબીર છે.

 

ક્યાં નેતાઓ હાજર રહેશે

1.અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી
2. ભુપેન્દ્ર યાદવ, પ્રભારી
3. સુધીર ગુપ્તા, સહ પ્રભારી
4. ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
5. સી આર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ
6. મહામંત્રીઓ
7. અમુક ઉપાધ્યક્ષ
8. પૂર્વ મંત્રીઓ
9. હાલના મંત્રીઓ
10. પૂર્વ મુખ્યમંત્રી
11.  પૂર્વ  નાયબ મુખ્યમંત્રી

શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. બેઠકમાં મહત્વના બે સમુદાય આદિવાસીઓની સાથે પાટીદાર સમાજની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપ સત્તા પર હોવાથી, એન્ટી ઈન્કમ્બન્સી તેમજ મોંઘવારીના મુદ્દાને લઈને ભાજપના નેતાઓને આ શિબિર દ્વારા જનતા સુધી પહોંચવાનો માર્ગ મળશે. આ બેઠકમાં કેટલાક સત્રો હશે જેમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઈટી સેલના સત્રો પણ હશે. જિલ્લા, તાલુકા અને મહાનગર દ્વારા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ થશે. સંગઠનાત્મક કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 થી 21 મે દરમિયાન જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ગુજરાતમાં ચિંતન શિબિર મહત્વપૂર્ણ બની રહેશે.

આવતી કાલથી શરૂ થતી ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમા સરકાર અને સંગઠનની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન ભાજપની ચિંતન શિબિરમાં રજૂ કરાશે. થોડા દિવસો પહેલા જ નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન CMO દ્વારા તૈયાર કરાયું હતું. બે દિવસ પહેલા બે મંત્રીઓની હાજરીમાં CMOના અધિકારીઓ તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશનનું રિવ્યુ કરાયું હતું. જેમા નવી સરકારની કામગીરી, નવી યોજનાઓ, સરકારની ઉપલબ્ધીઓ,પ્રશ્નો ના લવાયેલા ઉકેલો સાહિતમાં મુદ્દાઓને આધારે પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે. આ ઉપરાંત સંગઠનના વિવિધ કાર્યક્રમો અને કામગીરી અંગેનું પણ એક પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે જે પણ રજૂ થશે. સંગઠન અને સરકારના તાલમેલ અને સંકલન પર પણ ચિંતન શિબિરમાં ચર્ચા થશે.

છેલા 27 વર્ષથી ગુજરાતમાં સતાનો ગઢ જમાવી બેઠેલ ભાજપને આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ ટક્કર આપવા તૈયારી કરી રહી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર ફોક્સ કરી રહ્યા છે. આ વચ્ચે ભાજપ માટે ચિંતન મહત્વનું બની રહે છે.

ભાજપે લક્ષ્ય તો 182 માંથી 182 બેઠકો જીતવાનો આપ્યો છે, પણ સામે પડકારો પણ ઘણા છે. કોંગ્રેસ કરતા બમણા જોરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે. તો બીજી તરફ કર્મચારીઓના પ્રશ્નોથી લઈ વધતી મોંઘવારીના પણ પડકારો છે. સતત 27 વર્ષ થી શાસનના કારણે એન્ટી ઇન્કમબનસીનો પણ વિષય સામે આવતો હોય છે આ વચ્ચે ચિંતન મનન સ્વાભાવિક છે અને ભાજપની પ્રણાલી પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget