શોધખોળ કરો

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો તાગ મેળવશે કોંગી નેતાઓ,જાણો શક્તિસિંહે કોને કોને સોંપી જવાબદારી

અમદાવાદ: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.

અમદાવાદ: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપાઈ છે. કચ્છ જિલ્લાની જવાબદારી લલિત કગથરા,જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે.


Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનનો તાગ મેળવશે કોંગી નેતાઓ,જાણો શક્તિસિંહે કોને કોને સોંપી જવાબદારી

જામનગર અને દ્વારકા જિલ્લાની જવાબદારી અમરીશ ડેર,ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપાઈ છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી,ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપાઈ છે. સરકારે કરેલી જાહેરાત કેટલી મદદરૂપ,જાહેરાત મુજબ સહાય મળી કે નહિ તે કોંગ્રેસના આગેવાનો ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેકટરને આવેદનપત્ર આપશે. જે તે ગામમાં વીજળી પહોંચી કે હજુ પહોંચી નથી તે કોંગ્રેસના આગેવાનો તપાસ કરશે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચના આપવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત

બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.

રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી હતી જાહેરાત

પરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget